Ahmedabad News : રાજકોટમાં ગેમઝોન દુર્ઘટના બાદ અમદાવાદના તમામ ગેમીંગ ઝોનને તાત્કાલિક બંધ કરી દેવાની સુચના આપી દેવામાં આવી છે. તે સિવાય ફાયર, ઈલેકટ્રિક વિભાગ અને એસ્સેટ વિભાગ દ્વારા ગેમિંગ ઝોનની તપાસ કરવામાં આ. ત્યારબાદ જ આ હેમિંગ ઝોન શરૂ કરવાની મંજુરી અપાશે.
રાજકોટના બનાવ બાદ અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલા ફન બ્લાસ્ટમાં પણ તપાસ કરાઈ હતી. ગેમિંગ ઝોનની તપાસ માટે એએમસીની અલગ અલગ ટીમોના છ સભ્યો તપાસ કરશે. આ તપાસમાં ટોરેન્ટના આધિકારીઓ અપરાંપોલીસ અને રેવન્યુના અધિકારીઓ પણ જોડાશે. બાદમાં રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. જો ખોઈ ક્ષતિ જણાશેતો જે તે ગેમઝોનને સીલ કરી દેવાશે.
રાજકોટ ગેમીંગ ઝોન દુર્ઘટના બાદ અમદાવા ફાયર બ્રિગેડ સફાળુ જાગ્યું છે. જેમાં સિંધુભવન રોડ સ્તિત ફન બ્લાસ્ટમાં ફાયરબ્રિગેડના ફાયર અધિકારીઓ દ્રારા ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં ફાયર સેફ્ટી અને ફાયર એનઓસીની તપાસ કરવામાં આવી હતી. તે સિવાય આકસ્મિક આગ લાગે ત્યારે ઈમરદન્સી એક્ઝિટ કેટલા છે તથા ફસાયેલા લોકોને ઝડપતી કેવી રીતે બહાર કાઢી શકાય વગેરે મુદ્દાઓની તપાસ કરવામાં આવશે. અગાઉ અમદાવાદના ગોતામાં પણ ફન બ્લાસ્ટમાં આગ લાગી હતી. જેને પગલે એએમસી દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે.
આ પણ વાંચો: વડોદરામાં શબવાહીનીઓની માગમાં ચિંતાજનક વધારો
આ પણ વાંચો: ગેમઝોનના પાર્ટનરો દ્વારા જરૂરી મંજુરી મુદ્દે પોલીસ કમિશનર થોથવાયા
આ પણ વાંચો: ગેમિંગ ઝોનમાં આગની ભયાનકતાનું કારણ પેટ્રોલ-ડીઝલનો જથ્થો
આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ બાદ સુરતમાં NOC વગર ધમધમી રહેલાં 6 ગેમ ઝોન કરાયા બંધ