વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિ કુમારે પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ તરફથી વધુ હુમલા થવાના ઇન્ટેલિજન્સ રિપોર્ટ બાદ ભારત તરફથી ગઇકાલે ભારતે કાર્યવાહી કરી હતી.
આતંકીઓ સામેની કાર્યવાહીના વિરોધમાં પાકિસ્તાન તરફથી બુધવારે સવારે એરફોર્સનો ઉપયોગ કરીને ભારતની અંદર મિલિટરી સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. પરંતુ ભારતીય વાયુસેનાની સતર્કતાને કારણે પાકિસ્તાનનું આ કાવતરું નિષ્ફળ કરી દેવામાં આવ્યું હતું.
એર વાઈસ માર્શલ આર.જી.કે. કપૂર પણ ઉપસ્થિત રહ્યાં. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, પુરાવાના આધારે ભારતે કાર્યવાહી કરી, જૈશ – એ – મોહમ્મદ વધુ હુમલાની ફિરાકમાં હતું. પાકિસ્તાને આજે નિશાન બનાવવાની કોશિશ કરી હતી. ભારતે પાકિસ્તાનનું એક ફાઈટર પ્લેન તોડી પાડ્યું હતું. ઓપરેશન દરમ્યાનથી આપણો એક પાયલટ લાપતા છે તેમ વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું.