France/ ફ્રાન્સમાં અટવાયેલા ભારતીય હવાઇ મુસાફરો ફરી યાત્રા કરી શકશે,માનવ તસ્કરના આરોપ મામલે રોકવામાં આવ્યા હતા!

ફ્રાન્સમાં અટવાયેલા ભારતીય  મુસાફરો માટે સારા સમાચાર છે. ફ્રાન્સમાં માનવ તસ્કરીની શંકાના આધારે લગભગ 300 ભારતીયોને રોકવામાં આવ્યા હતા

Top Stories World
4 4 3 ફ્રાન્સમાં અટવાયેલા ભારતીય હવાઇ મુસાફરો ફરી યાત્રા કરી શકશે,માનવ તસ્કરના આરોપ મામલે રોકવામાં આવ્યા હતા!

ફ્રાન્સમાં અટવાયેલા ભારતીય  મુસાફરો માટે સારા સમાચાર છે. ફ્રાન્સમાં માનવ તસ્કરીની શંકાના આધારે લગભગ 300 ભારતીયોને રોકવામાં આવ્યા હતા. ફ્રેન્ચ ન્યાયિક સૂત્રોને ટાંકીને સમાચાર એજન્સી એએફપીએ અહેવાલ આપ્યો છે કે ભારતીય પ્રવાસીઓ સોમવારે તેમની યાત્રા ફરી શરૂ કરી શકશે. તમને જણાવી દઈએ કે દુબઈ, સંયુક્ત આરબ અમીરાત (UAE) થી નિકારાગુઆ જઈ રહેલા 303 મુસાફરોને લઈ જઈ રહેલા એક વિમાનને ગુરુવારે માનવ તસ્કરીની આશંકામાં માર્નેના ચાલોન્સ-વેટ્રી એરપોર્ટ પર અટકાવવામાં આવ્યું હતું.

પેરિસના સરકારી વકીલના કાર્યાલયે જણાવ્યું હતું કે એક અનામી સૂચનાને પગલે વિમાનને અટકાયતમાં લેવામાં આવ્યું હતું. આ વિમાને સંયુક્ત આરબ અમીરાતથી ઉડાન ભરી હતી. તે રોમાનિયાની ચાર્ટર્ડ કંપનીનું વિમાન હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રોસિક્યુટર્સે કહ્યું કે ફ્રાન્સની નેશનલ એન્ટી ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ યુનિટ જુનાલ્કોએ તપાસ હાથ ધરી છે. બીજી તરફ, ફ્રાન્સમાં ભારતીય દૂતાવાસે ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું છે કે ફ્રાન્સના અધિકારીઓએ આ બાબતની જાણકારી આપી છે.

દૂતાવાસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિની તપાસ શરૂ કરી હતી. નોંધનીય છે કે નિકારાગુઆ એ મધ્ય અમેરિકાનો સૌથી મોટો દેશ છે અને તે ન્યૂયોર્ક રાજ્ય કરતાં વિસ્તારની દૃષ્ટિએ થોડો મોટો છે. અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરનારાઓ માટે આ દેશ સ્વર્ગ સમાન છે. દર વર્ષે હજારો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ આ દેશમાંથી યુએસ-મેક્સિકો બોર્ડર પર પહોંચે છે. ગેરકાયદેસર વસાહતીઓને પણ આ માર્ગ પર ઘણા પડકારોનો સામનો કરવો પડે છે, જેમાં ભૌગોલિક સ્થાન અને ચોરી અને લૂંટ જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે. નિકારાગુઆમાં આ સ્થળાંતર કરનારાઓ પર કોઈ વિશેષ તપાસ કરવામાં આવતી નથી.