Cricketer/ ભારતના ક્રિકેટરોએ યો-યો ટેસ્ટ અને ડેક્સા સ્કેન કરાવ્યા બાદ જ ટીમમાં સ્થાન મળશે,જાણો તમામ વિગત

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓએ હવે ‘યો-યો ટેસ્ટ’ અને ‘ડેક્સા સ્કેન’માંથી પસાર થવું પડશે. જે આ ટેસ્ટમાં ફેલ થશે તેને ટીમ ઈન્ડિયામાં સ્થાન નહીં મળે.

Top Stories Sports
The yo-yo test

The yo-yo test   ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓએ હવે ‘યો-યો ટેસ્ટ’ અને ‘ડેક્સા સ્કેન’માંથી પસાર થવું પડશે. જે આ ટેસ્ટમાં ફેલ થશે તેને ટીમ ઈન્ડિયામાં સ્થાન નહીં મળે. આ નિર્ણય વર્લ્ડ કપ ટુર્નામેન્ટની તૈયારીઓને લઈને લેવામાં આવ્યો છે.BCCIએ ગયા રવિવારે એક બેઠક બોલાવી હતી જેમાં ખેલાડીઓની ફિટનેસને લઈને ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. જે અંતર્ગત હવે યો-યો ટેસ્ટ અને ડેક્સા સ્કેનને હવે ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ બનાવવામાં આવ્યા છે.

ગત T20 વર્લ્ડ કપમાં મળેલી હાર અને  એશિયા કપમાં નિરાશાજનક પ્રદર્શન સાથે  બાંગ્લાદેશમાં રમાયેલી ODI શ્રેણીમાં ભારતીય ટીમના પ્રદર્શનને જોતા હવે આ ફિટનેસ ટેસ્ટને લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2022માં ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ ખેલાડીઓમાં કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીનું નામ પણ સામેલ છે.

આ કારણવના લીધે  BBCIએ આ ખેલાડીઓની ફિટનેસ સાથે કોઈ બાંધછોડ ન કરવાનો નિર્ણય લીધો છે અને તેને ધ્યાનમાં રાખીને ટીમ ઈન્ડિયાની સમીક્ષા બેઠકમાં યો-યો ટેસ્ટ અને ડેક્સા સ્કેનનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે આ નિયમ નવો નથી. ખેલાડીઓને અગાઉ પણ આ ટેસ્ટમાંથી પસાર થવું પડતું હતું પરંતુ કોરોના મહામારી દરમિયાન તેમના માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેને દૂર કરવામાં આવી હતી.હવે ફરી એકવાર તેને જરૂરી બનાવવામાં આવ્યું છે.

યોયો ટેસ્ટ શું છે?

ભારતીય ક્રિકેટમાં યો-યો ટેસ્ટ છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય છે. તેને ઇન્ટરમિટન્ટ રિકવરી ટેસ્ટ (યો-યો ટેસ્ટ) કહેવામાં આવે છે. તે એક રીતે બીપ ટેસ્ટ જેવું છે, જેમાં ખેલાડીઓએ બે સેટ વચ્ચે દોડવાનું હોય છે. તે સેટનું અંતર લગભગ 20 મીટર છે જે એક પિચ જેટલું છે.આ ટેસ્ટ પાસ કરવા માટે ખેલાડીએ પહેલા સેટથી બીજા સેટ સુધી દોડીને પાછા આવવું પડે છે. બંને સેટનું અંતર પૂર્ણ કર્યા પછી, તેને શટલ તરીકે ગણવામાં આવે છે. દરેક શટલ પછી, દોડવાનો સમય ઓછો થાય છે પરંતુ તેનું અંતર ઘટતું નથી.આ કસોટી પાંચમા સ્તરથી શરૂ થાય છે અને 23મા સ્તર સુધી ચાલુ રહે છે. આ ટેસ્ટ પાસ કરવા માટે ખેલાડીઓને 23માંથી ઓછામાં ઓછા 16.5 સ્કોર કરવાની જરૂર છે.

ડેક્સા સ્કેન શું છે?

ડેક્સા સ્કેન એ માનવ શરીરના હાડકાંની રચના અને સ્થિતિ જાણવા માટેનું આંતરરાષ્ટ્રીય ધોરણ છે. આ પણ એક પ્રકારનો ફિટનેસ ટેસ્ટ છે. જે અંતર્ગત વ્યક્તિના શરીરની ચરબી, હાડકાની મજબૂતી, પાણીનું પ્રમાણ તપાસવામાં આવે છે.ડેક્સા સ્કેન એ એક પ્રકારનો ફિટનેસ ટેસ્ટ છે જેમાં વ્યક્તિના શરીરની ચરબી, હાડકાની મજબૂતાઈ, શરીરમાં પાણીનું પ્રમાણ તપાસવામાં આવે છે. ભારતીય ક્રિકેટ ટીમમાં થોડા વર્ષો પહેલા તેનો અમલ કરવામાં આવ્યો હતો. જો કે, કેટલીક તકનીકી સમસ્યાઓ અને કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને તેને બંધ કરવામાં આવ્યું હતું.પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભારતીય ખેલાડીઓમાં સાંધાના દુખાવા અને હાડકાની સમસ્યાની ફરિયાદો જોવા મળી રહી છે. જેને જોતા આ ડેક્સા સ્કેન ફરી એકવાર નિયમમાં ઉમેરવામાં આવ્યું છે.

ડેક્સા સ્કેન સામાન્ય રીતે દસ-મિનિટની કસોટી છે જે શરીરની ચરબી અને સ્નાયુ સમૂહને માપે છે. આ ટેસ્ટની મદદથી શરીરના હાડકાં કેટલા મજબૂત છે, તેની તપાસ કરવામાં આવે છે અને તેની સાથે હાડકામાં રહેલા કેલ્શિયમ અને અન્ય મિનરલ્સ વિશે પણ માહિતી મળે છે.

વિસ્ફોટ/સોમાલિયામાં બોમ્બ વિસ્ફોટ થતા 9 લોકોના મોત