Ahmedabad News: ભારતીય રેલવે (Indian Railway Bedroll Theft)ના AC કોચમાં મુસાફરોને આપવામાં આવતી બેડરોલ કિટ હવે રેલવે માટે મોટી ચિંતાનો વિષય બની છે. માહિતીના અધિકાર (RTI) હેઠળ પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા ચાર વર્ષમાં મુસાફરો દ્વારા લાખો ચાદર, ટુવાલ, તકિયા, તકિયાના કવર અને ધાબળાની ચોરી કરવામાં આવી છે. આ ચોરીઓના કારણે ભારતીય રેલવે (Indian Railway Bedroll Theft)ને ₹104 કરોડથી વધુનું આર્થિક નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.
ચાર વર્ષમાં 1.27 કરોડથી વધુ વસ્તુઓ ગાયબ
વર્ષ 2022થી 2025 દરમિયાન સમગ્ર દેશમાં 1.27 કરોડથી વધુ બેડરોલ સામગ્રી ગાયબ થઈ હોવાનું નોંધાયું છે. આ સમયગાળા દરમિયાન ચોરીના બનાવોમાં અંદાજે 56 ટકા વધારો થયો હોવાનું પણ RTIના આંકડાઓ દર્શાવે છે.
ભારતીય રેલવે (Indian Railway Bedroll Theft)ના AC કોચમાં દરરોજ આશરે 8 લાખ મુસાફરો મુસાફરી કરે છે. દરેક મુસાફરને બે બેડશીટ, એક ધાબળો, એક તકિયો, એક તકિયાનો કવર અને એક ફેસ ટુવાલ આપવામાં આવે છે. છતાં મુસાફરી પૂર્ણ થયા બાદ દર હજાર મુસાફરોમાંથી સરેરાશ એક મુસાફર બેડરોલનો કોઈ ભાગ સાથે લઈ જાય છે.
Indian Railway Bedroll Theft: અમદાવાદ ડિવિઝનની સ્થિતિ ચિંતાજનક
RTIના આંકડા મુજબ અમદાવાદ રેલવે (Indian Railway Bedroll Theft) ડિવિઝન બેડરોલ ચોરીના મામલામાં દેશના સૌથી વધુ અસરગ્રસ્ત વિભાગોમાં સામેલ છે.
મુખ્ય આંકડા:
છેલ્લા ચાર વર્ષમાં 6.94 લાખથી વધુ બેડશીટ અને તકિયાની સામગ્રી ગાયબ
3.22 લાખથી વધુ ફેસ ટુવાલની ચોરી
દરરોજ સરેરાશ 400થી વધુ લિનન સામગ્રી ગાયબ
અમદાવાદ ડિવિઝન દેશના સૌથી વધુ ચોરી થતા વિભાગોમાં ચોથા ક્રમે
સૌથી વધુ શું ચોરાય છે?
RTIમાં જાહેર થયેલા આંકડા મુજબ સૌથી વધુ ચોરી નાની અને સરળતાથી લઈ જઈ શકાય તેવી વસ્તુઓની થાય છે.
છેલ્લા ચાર વર્ષના આંકડા મુજબ:
ફેસ ટુવાલ (રૂમાલ): 46.54 લાખ
બેડશીટ: 41.43 લાખ
તકિયાના કવર: 23.59 લાખ
ધાબળા: 12.95 લાખ
તકિયા: 2.76 લાખ
આ 10 રેલવે ડિવિઝનમાં સૌથી વધુ ચોરી
દેશભરની કુલ ચોરીની લગભગ 67 ટકા ઘટનાઓ માત્ર 10 રેલવે ડિવિઝનમાં નોંધાઈ છે.
આમાં સામેલ વિભાગો:
બિકાનેર
જોધપુર
જયપુર
રાંચી
દિલ્હી
મુંબઈ
અમદાવાદ
સોનપુર
દાનાપુર
બિલાસપુર
રેલવે અને એજન્સીઓ માટે પડકાર
રેલવે દ્વારા બેડરોલની વ્યવસ્થા માટે ખાનગી એજન્સીઓની સેવાઓ લેવામાં આવે છે. ચોરી થયેલી સામગ્રીની કિંમત ઘણી વખત સંબંધિત એટેન્ડન્ટ અથવા કરાર આધારિત એજન્સી પાસેથી વસૂલવામાં આવતી હોવાથી કર્મચારીઓ માટે પણ આ સમસ્યા પડકારરૂપ બની રહી છે.રેલવે તંત્ર હવે આવી ચોરીઓ રોકવા માટે વધુ કડક દેખરેખ અને વ્યવસ્થામાં સુધારા અંગે વિચારણા કરી રહ્યું છે.
આ પણ વાંચો:ગુજરાતમાં ભારતીય રેલવેનો રેકોર્ડ રોકાણથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
આ પણ વાંચો:મીઠા ઉદ્યોગ માટે સારા સમાચાર! ભારતીય રેલવે હવે મીઠાના પરિવહન માટે ખાસ ‘વેગન ડિઝાઇન’ તૈયાર કરશે
