રશિયા સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે યુક્રેનના સુમીમાં ફસાયેલા તમામ ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સુમીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા છે, તમામ વિદ્યાર્થીઓ પોલ્ટાવા જવાના રસ્તે છે, જ્યાંથી તેઓ પશ્ચિમી યુક્રેન માટે ટ્રેનમાં ચઢશે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓને ઘરે લઈ જવા માટે ઓપરેશન ગંગા હેઠળ ફ્લાઈટ્સ તૈયાર કરવામાં આવી રહી છે.ટ્વિટર પર ભારતીય વિદ્યાર્થીઓનો એક વીડિયો શેર કરતા અરિંદમ બાગચીએ કેપ્શનમાં લખ્યું, ‘શેર કરતાં આનંદ થાય છે કે અમે તમામ ભારતીય વિદ્યાર્થીઓને સુમીમાંથી બહાર કાઢવામાં સફળ રહ્યા છીએ.’
અરિંદમ બાગચીના વીડિયોમાં ભારતીય વિદ્યાર્થીઓના ચહેરા પર રાહત જોઈ શકાય છે. તે જ સમયે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે સુમીમાં ફસાયેલા 694 ભારતીય વિદ્યાર્થીઓ મંગળવારે બસો દ્વારા પોલ્ટાવા જવા રવાના થયા. તેણે કહ્યું, ‘ગઈ રાત્રે, મને કંટ્રોલ રૂમમાંથી જાણવા મળ્યું, 694 ભારતીય વિદ્યાર્થીઓ સુમીમાં હતા. આજે, તેઓ પોલ્ટાવા માટે બસ દ્વારા રવાના થયા.
Happy to inform that we have been able to move out all Indian students from Sumy.
They are currently en route to Poltava, from where they will board trains to western Ukraine.
Flights under #OperationGanga are being prepared to bring them home. pic.twitter.com/s60dyYt9U6
— Arindam Bagchi (@MEAIndia) March 8, 2022
18 હજાર ભારતીયોને વતન લાવવામાં આવ્યા હતા
નોંધનીય છે કે યુક્રેનમાં સુમી એકમાત્ર એવું શહેર હતું જ્યાં ભારતીય વિદ્યાર્થીઓ હજુ પણ ફસાયેલા હતા. રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પૂર્વ યુક્રેનના ખાર્કિવ અને પેસોચીનમાંથી તમામ ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર યુક્રેનમાંથી 22 હજાર ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા છે. 8 માર્ચ સુધી ઓપરેશન ગંગા દ્વારા 18 હજાર ભારતીયોને વતન લાવવામાં આવ્યા છે.
સુમીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બચાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 7 માર્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.