GDP/ ભારતની GDP વૃદ્ધિ દર 2023-24માં 6.5 ટકા રહેશે -નીતિ આયોગના પૂર્વ વાઇસ ચેરમેન રાજીવ કુમાર

નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ રાજીવ કુમારે સોમવારે વર્તમાન નાણાકીય વર્ષમાં દેશનો આર્થિક વિકાસ દર 6.5 ટકાની આસપાસ રહેવાનો અંદાજ મૂક્યો હતો.

Top Stories India
3 1 ભારતની GDP વૃદ્ધિ દર 2023-24માં 6.5 ટકા રહેશે -નીતિ આયોગના પૂર્વ વાઇસ ચેરમેન રાજીવ કુમાર

નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ રાજીવ કુમારે સોમવારે વર્તમાન નાણાકીય વર્ષમાં દેશનો આર્થિક વિકાસ દર 6.5 ટકાની આસપાસ રહેવાનો અંદાજ મૂક્યો હતો. તેમણે કહ્યું કે છેલ્લા નવ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા સુધારાઓથી દેશની મેક્રો ઈકોનોમિક પરિસ્થિતિને ફાયદો થઈ રહ્યો છે.કુમારે એમ પણ કહ્યું કે ભારતને આઠ ટકાથી વધુ વૃદ્ધિની જરૂર છે અને દેશ આમ કરવા સક્ષમ છે. દેશની યુવા વસ્તીની આકાંક્ષાઓને પૂર્ણ કરવા અને તેના કર્મચારીઓ માટે પર્યાપ્ત નોકરીઓનું સર્જન કરવા માટે આર્થિક વિકાસને આ સ્તરે લાવવાની જરૂર છે.

 તેમણે કહ્યું, “મારો અંદાજ છે કે નાણાકીય વર્ષ 2023-24માં ભારતનો જીડીપી વૃદ્ધિ દર 6.5 ટકા રહેશે. મને લાગે છે કે આવનારા કેટલાક વર્ષો સુધી આ વૃદ્ધિ દર સરળતાથી જાળવી શકીશું.”2022-23માં ભારતનો જીડીપી વૃદ્ધિ દર 7.2 ટકા હતો, જે 2021-22માં 9.1 ટકાથી ઓછો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના અનુમાન મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો જીડીપી વૃદ્ધિ દર 6.5 ટકા રહી શકે છે.કુમારે વધુમાં જણાવ્યું હતું કે ભારતની ચાલુ ખાતાની ખાધ વ્યવસ્થિત છે અને દેશનો વિદેશી હૂંડિયામણ ભંડાર લગભગ 11 મહિનાની આયાતને પહોંચી વળવા માટે પૂરતો છે અને વિદેશી પ્રત્યક્ષ રોકાણ ચાલુ રહે છે.