AAPને મોટો આંચકો/ ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ પાર્ટી છોડી, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની હાજરીમાં ખેસ ધારણ કર્યો

આપના રાષ્ટ્રીય સંયુક્ત સચિવ અને ભૂતપૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરુ AICC ગુજરાતના પ્રભારી ડૉ. રઘુ શર્મા અને ગુજરાતના નેતાઓની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
2 1 2 ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ પાર્ટી છોડી, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની હાજરીમાં ખેસ ધારણ કર્યો

ગુજરાતની રાજનીતિમાં આમ આદમી પાર્ટી ખુબ જ અગ્રેસીવ રીતે આગળ વધી રહી છે. બીજી તરફ ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ પોતાનું તમામ જોર લગાવવામાં આવી રહ્યું છે. જો કે આમ આદમી પાર્ટીએ આજે મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે ઇસુદાન ગઢવીને પ્રોજેક્ટ કરતાની સાથે જ સંગઠનમાં અસંતોષની આગ ભડકી ઉઠી છે. તો બીજી બાજુ આપના રાષ્ટ્રીય સંયુક્ત સચિવ અને ભૂતપૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરૂએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે.

ગુજરાતનાં સૌથી ધનવાન રાજનેતાઓ પૈકી પૂર્વ કોંગ્રેસી કાર્યકર ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ આજે અચાનક આમ આદમી પાર્ટી છોડીને ગુજરાત કોંગ્રેસમાં ફરી એકવાર જોડાયા હતા. નોંધનીય છે કે આમ આદમી પાર્ટી સાથે નાનકડો પ્રવાસ કરીને ફરી એકવાર કોંગ્રેસમાં તેઓ જોડાઇ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે આપના રાષ્ટ્રીય સંયુક્ત સચિવ અને ભૂતપૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરુ AICC ગુજરાતના પ્રભારી ડૉ. રઘુ શર્મા અને ગુજરાતના નેતાઓની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ પ્રસંગે પીસીસી પ્રમુખ જગદીશ ઠાકોર, સીએલપી નેતા સુખરામ રાઠવા અને વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.