બિપરજોય/ બિપોરજોય વાવાઝોડાના લગતે દરેક વીમા ક્લેમ ઝડપથી પતાવવા અત્યારથી જ તાકીદ

બિપોરજોય વાવાઝોડું ફૂંકાય તો તેમા વીમાને લગતા દરેક ક્લેમ પતાવવા માટે વીમા કંપનીઓને નાણાપ્રધાન નિર્મલા સીતારામને અત્યારથી જ તાકીદ કરી છે.

Top Stories India
Porbandar 1 બિપોરજોય વાવાઝોડાના લગતે દરેક વીમા ક્લેમ ઝડપથી પતાવવા અત્યારથી જ તાકીદ

બિપોરજોય વાવાઝોડું ફૂંકાય તો તેમા વીમાને લગતા દરેક ક્લેમ પતાવવા માટે વીમા કંપનીઓને નાણાપ્રધાન નિર્મલા સીતારામને અત્યારથી જ તાકીદ કરી છે. અરબ સાગરમાંથી ઉઠી રહેલા ચક્રવાતી તોફાન બિપોરજોયને લઈને સરકાર દરેક મોર્ચે તૈયારી કરી રહી છે. ગુજરાત તટ તરફથી આગળ વધી રહેલા અત્યંત ગંભીર ચક્રવાતી તોફાન આજે કચ્છના જખૌ બંદર નજીક ટકરાશે. તેને લઈને સુરક્ષાની કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જો કે, તેમ છતાં પણ જાનમાલના નુકસાનનો ખતરો રહેલો છે.

આ દરમ્યાન કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે જાહેર ક્ષેત્રની બેન્કો અને વીમા કંપનીઓનેના મેનેજમેન્ટ સાથે તોફાનને લઈને એક સમીક્ષા બેઠક કરી હતી. જેમાં વીમા કંપનીઓને ક્લેમનું ફટાફટ નિકાલ કરવા માટે કહેવામાં આવ્યું છે. તો વળી ચક્રવાતથી પ્રભાવિત ક્ષેત્રોમાં કર્મચારીઓની સુરક્ષાને લઈને બેન્કોને પાક્કી વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું છે.

Nirmala બિપોરજોય વાવાઝોડાના લગતે દરેક વીમા ક્લેમ ઝડપથી પતાવવા અત્યારથી જ તાકીદ

તોફાનની ચેતવણી જાહેર થયા બાદ સામાન્ય લોકો અને માછીમારોને સુરક્ષિત સ્થાન તરફ મોકલી દેવામાં આવ્યા છે. તેમ છતાં પણ તટ પર રહેલી હોડી, ખેતરમાં ઊભો પાક અને ઢોર તતા અન્ય પશુધનને નુકસાન પહોંચવાની આશંકા વ્યક્ત કરાઈ છે. નાણા મંત્રાલયે ટ્વિટ કર્યું છે કે, નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, જીવન, મત્સ્ય પાલન, પશુધન, પાક, હોડી અને સંપત્તિના નુકસાનને સામે આવતા ક્લેમનું ફટાફટ નિવારણ લાવવું જોઈએ.

બેઠક દરમ્યાન નિર્મલા સીતારમણે કહ્યું કે, તમામ આપદા નિયમોનું પાલન કરવાની સાથે સાથે કર્મચારીઓને તેના વિશે જાગૃત કરવા જોઈએ. બેન્કો અને વીમા કંપનીઓએ એ નક્કી કરવું જોઈએ કો, બિપોરજોય ચક્રવાત દરમ્યાન કર્મચારીઓની યોગ્ય દેખરેખ, ભોજન અને દવા મળે. બેઠકમાં બેન્કો અને વીમા કંપનીઓના એમડીએ બિપોરજોય ચક્રવાતને ધ્યાને રાખી સાવધાનીના ઉપાયો વિશે વિસ્તૃત જાણકારી આપવી જોઈએ.

 

આ પણ વાંચોઃ બિપરજોય/ વાવાઝોડામાંથી સૌરાષ્ટ્ર સાંગોપાંગ બચી ગયુંઃ હવે આફત ફક્ત કચ્છ પર

આ પણ વાંચોઃ Cyclone Biparjoy/ ગુજરાતના દરિયાકાંઠે આજે સાંજે ત્રાટકશેચક્રવાત બિપરજોય, 8 જિલ્લાના 442 ગામોમાં એલર્ટ

આ પણ વાંચોઃ Cyclone Biparjoy/ ગુજરાત અને મુંબઈમાં હાઈ એલર્ટ, 150ની ઝડપે ફૂંકાઈ શકે છે ભારે પવન, સતત ભારે વરસાદ

આ પણ વાંચોઃ બિપરજોય/ માંડવીમાં મંડાશે બિપરજોય વાવાઝોડુંઃ પાકના કરાચીમાં પણ ત્રાટકશે

આ પણ વાંચોઃ Cyclone Biparjoy/ 1300 કિ.મી.નું અંતર કાપી આવેલું બિપોરજોય વાવાઝોડું ગુજરાતથી 200 કિ.મી. દૂર