રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અરૂણાચલ પ્રવાસને લઈને ચીન ભડક્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લૂ કાંગે જણાવ્યું હતું કે ભારતે વર્તમાન પરિસ્તથિતી જોઈને ચેતવું જોઈએ. ચીને ભારતનને સલાહ આપતાં જણાવ્યું હતું કે આ સમયમાં જ્યારે બંને દેશોના સંબંધો સંવેદનશીલ છે, તેવામાં ભારતે આ પરિસ્થિતીઓનું ધ્યાન રાખવું જોઈએ.
ચીની પ્રવક્તાએ જણાવ્યું હતું કે બંને દેશો મતભેદ વાળા મુુદ્દાઓનું સમાધાન કાઢી રહ્યાં છે. ચીનના અરૂણાચલ પ્રદેશમાં થતાં પ્રવાસ પર પોતાનો પક્ષ મુકતા કહ્યું કે આપણે એવો રસ્તો કાઢવો જોઈએ જે દરેકને સ્વિકાર્ય હોય.