અફઘાનિસ્તાનના બામિયાન પ્રાંતમાં મંગળવારે રસ્તાની બાજુમાં બોમ્બ વિસ્ફોટ થતાં ટ્રાફિક પોલીસકર્મી સહિત 14 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 45 ઘાયલ થયા હતા. આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે સરકારના વાટાઘાટકારો અને તાલિબાનના પ્રતિનિધિઓ દાયકાઓથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે વાટાઘાટો કરી રહ્યા છે.
ગૃહ મંત્રાલયના પ્રવક્તા તારિક એરીઅને જણાવ્યું હતું કે બપોરે બામિયન પ્રાંતના શહેરમાં બોમ્બ વિસ્ફોટમાં 45 લોકો ઘાયલ થયા છે. આ બ્લાસ્ટમાં અનેક દુકાનો અને વાહનોને નુકસાન પહોંચ્યું હતું. બામિયાન પ્રાંતના પોલીસ વડાના પ્રવક્તા મોહમ્મદ રઝા યુસુફીએ જણાવ્યું હતું કે સતત બે વિસ્ફોટ થયા હતા. કોઈ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે જણાવ્યું હતું કે આ ઘટનામાં તેમનું જૂથ સામેલ નથી.
ઇસ્લામિક સ્ટેટ (આઈએસ) – સંલગ્ન સંગઠને દેશમાં લઘુમતી શિયા મુસ્લિમો સામે યુદ્ધની ઘોષણા કરી છે, અને બામિયાન શિયા વસ્તીની બહુમતી છે. આઈએસ સાથે જોડાયેલા જૂથે અફઘાનિસ્તાનમાં તાજેતરના હુમલાઓની જવાબદારી સ્વીકારી છે. તાજેતરમાં એક શૈક્ષણિક સંસ્થામાં થયેલા હુમલામાં 50 લોકો માર્યા ગયા હતા. તેમાંના મોટાભાગના વિદ્યાર્થીઓ હતા. યુ.એસ.એ આ વર્ષની શરૂઆતમાં આઈ.એસ. સાથે જોડાયેલા જૂથને મહિલાઓની હોસ્પિટલમાં થયેલા હુમલા માટે દોષી ઠેરવ્યો હતો, જેમાં 24 માતાઓ અને તેમના બાળકોનું મોત નીપજ્યું હતું.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…