Vastu:ઘરમાં વાસ્તુશાસ્ત્ર મુજબ સકારાત્મકતા વધારવા સાફ-સફાઈ રાખવી જરૂરી છે. ઘરની સારી રીતે સફાઈ કરવા છતાં ઘરના ખૂણા સાફ કરવાના ઘણી વખત રહી જતા હોય છે. કહેવાય છે કે ઘરમાં જાળું વધારે દિવસો થી હોય તો વાસ્તુદોષ લાગવાની પૂર્ણ શક્યતા કહેવાય છે. ઘરમાં હંમેશા ધનની તંગી રહે છે. કામકાજમાં બાધા રહે છે. સ્વભાવમાં આળસ, ચીડિયાપણું, નકારાત્ણકતા વધી શકે છે.
વાસ્તુના નિયમ
બેડરૂમમાં કરોળિયાનું જાળું હોય તો માનસિક તણાવ વધી શકે છે. પરિવારને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
ઘરના મંદિરમાં કરોળિયાનું જાળું ક્યારેય લાગવા ન દો. ભગવાનના ફોટાની હંમેશા સાફસફાઈ કરો. પરિવારે હંમેશા કોઈ ને કોઈ બિમારીનો સામનો કરવો પડી શકે છે.
ઘરમાં કરોળિયાનું જાળુ હોય તો પારિવારિક જીવનમાં તાણાવની સ્થિતિ બની રહે છે. બાળકોના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર જોવા મળે છે. સુખ-સમૃદ્ધિ દૂર થતા જાય છે.
આ પણ વાંચો:ગર્ભાવસ્થાના 9 મહિના 9 ગ્રહો સાથે જોડાયેલા છે, જાણો કઈ રીતે
આ પણ વાંચો:વરુથિની અગિયારસનું મહત્વ જાણો, ક્યારે વ્રત કરવામાં આવશે