Dehradun:ઇસ્કોનના સૌથી વરિષ્ઠ સંન્યાસીઓમાંના એક અને ઇસ્કોન ઇન્ડિયાની ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજનું આજે સવારે દેહરાદૂનમાં નિધન થયું છે. સવારે લગભગ સાડા નવ વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનના સમાચારથી ભક્તોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
જણાવી દઈએ કે ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ 2 મેના રોજ દુધલી સ્થિત મંદિરના શિલાન્યાસ સમારોહમાં પહોંચ્યા હતા. અહીં તેઓ અચાનક લપસીને પડ્યા હતા. જેના કારણે તેમના ફેફસામાં પંચર પડી ગયું હતું.
ત્રણ દિવસથી સિનર્જી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. હોસ્પિટલના એમડી કમલ ગર્ગે આ વાતની પુષ્ટિ કરી છે. ભક્તો બપોરે 3.30 વાગ્યે દિલ્હીના ઇસ્કોન મંદિરમાં તેમના અંતિમ દર્શન કરી શકશે. આવતીકાલે તેમના પાર્થિવ દેહને વૃંદાવન લઈ જવામાં આવશે. તેનો સમય હજુ નક્કી થયો નથી.
1944 માં નવી દિલ્હીમાં જન્મેલા, ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ એક તેજસ્વી વિદ્યાર્થી હતા જેમને સોર્બોન યુનિવર્સિટી (ફ્રાન્સ) અને મેકગિલ યુનિવર્સિટી (કેનેડા) માં અભ્યાસ કરવા માટે બે શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી. તેઓ 1968 માં કેનેડામાં તેમના ગુરુ અને ઇસ્કોનના સ્થાપક આચાર્ય શ્રીલ પ્રભુપાદને મળ્યા અને ત્યારથી તેમણે ભગવાન કૃષ્ણ અને સનાતન ધર્મના ઉપદેશોને વિશ્વ સાથે શેર કરવા માટે પોતાને સમર્પિત કરી દીધા છે.
આ પણ વાંચો:ભાજપ અને સપાના ઉમેદવારોને લઈને બે વકીલોએ લગાવી બે લાખની શરત…..
આ પણ વાંચો:પતિ પત્ની અને પરપુરુષ…… હનીમૂનથી સીધી પોલીસ સ્ટેશન પરિણીતા
આ પણ વાંચો:ત્રીજા તબક્કાની 10 હાઈપ્રોફાઈલ બેઠકો જેના પર સમગ્ર દેશની નજર, આ 3 મુદ્દાઓ પણ રહ્યા હાવી
આ પણ વાંચો:હેમંત કરકરેનું મોત કસાબની ગોળીથી નહોતું થયું