નવી દિલ્હી,
મંગળવારથી દેશભરમાં ધામધૂમથી નવા વર્ષની શરૂઆત થઇ ગઈ છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક ઇન્ટરવ્યુ દ્વારા દેશની જનતા સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા છે.
ન્યુઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં તેઓએ સર્જિકલ સ્ટ્રાઈક અંગે જણાવ્યું,
આ માત્ર દેશની જનતાની ભાવના અને પ્રેમનો અવાજ છે.
સર્જિકલ સ્ટ્રાઈક :
ANIના ઇન્ટરવ્યુ પીએમ મોદીએ કહી સર્જિકલ સ્ટ્રાઈકની વાત
ઉરી આતંકી હુમલા બાદ કરાઈ હતી સર્જિકલ સ્ટ્રાઈક
૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ સર્જિકલ સ્ટ્રાઈક અંગે પ્રધાનમંત્રીએ આપ્યો હતો કમાન્ડ
સર્જિકલ સ્ટ્રાઈકની બે વાર બદલવામાં આવી તારીખ
મને સફળતા કરતા જવાનોની ચિંતા હતી
ઓપરેશનમાં એક પણ જવાન શહીદ ન થાય તેનું ધ્યાન રાખવાનું હતું
સમગ્ર ઓપરેશન પર હતી મારી નજર
સૂર્યોદય પહેલા ઓપરશન સમાપ્ત કરીને પાછા આવવાનું હતું
જયારે સફળ ઓપરેશનની વાત મળી ત્યારે ચિંતા દૂર થઇ હતી.
સર્જિકલ સ્ટ્રાઈક હતો ખુબ મોટો પડકાર
હું એ ક્યારેય રાજનૈતિક પડકારો વિષે વિચાર્યું નથી
એક લડતથી પાકિસ્તાન સુધરશે નહિ
પાકિસ્તાનને સુધારવામાં થોડો સમય લાગશે
રામ મંદિરનો મુદ્દો કોર્ટ દ્વારા કાયદો ઘડીને જ લવાશે
ટ્રિપલ તલાકના મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અધ્યાદેશ લાવવામાં આવ્યો છે.
રામ મંદિરના મુદ્દે પણ બંધારણના નિયમ મુજબ જ નિર્ણય કરવામાં આવશે.
રામ મંદિરના મુદ્દે હાલ સરકાર અધ્યાદેશ લાવશે નહિ