ભારતના અંતરિક્ષ પરિક્ષણ પર સૌ કોઈ નજર રાખીને બેઠા છે. આ અંતર્ગત ખુબ જ મહત્વાકાંક્ષી ગણાતા ચંદ્રયાન-3 મિશનને આગામી ઓગસ્ટ મહિનામાં લોન્ચ થવા જઈ રહ્યું છે. કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે લોકસભામાં પોતાના લેખિત જવાબમાં જણાવ્યું કે અંતરિક્ષ વિભાગે 2022માં 19 મિશન લોન્ચ કરવાની યોજના બનાવી છે.
આ પણ વાંચો:સંસદમાં રાહુલ ગાંધીના ભાષણ પર સ્વરા ભાસ્કરનું ટ્વિટ, કહ્યું, ભડાકેદાર ભાષણ…
મિશન ચંદ્રયાન-3:
ઈસરો આ વર્ષે ઓગસ્ટમાં ચંદ્રયાન-3 લોન્ચ કરવા જઈ રહ્યું છે. બે વર્ષ પહેલાં, ચંદ્ર મિશન દરમિયાન, ઈસરોનું અવકાશયાન ચંદ્રની સપાટી સાથે અથડાયું હતું. અને આ રીતે મિશન નિષ્ફળ ગયું હતું. વાસ્તવમાં, અવકાશ વિભાગે ચંદ્ર મિશનમાં વિલંબ સંબંધિત પ્રશ્નોના જવાબમાં લોકસભામાં સમયરેખા જાહેર કરી હતી. અવકાશ વિભાગે એક લેખિત જવાબમાં કહ્યું કે ચંદ્રયાન-2 મિશનમાંથી શીખેલા પાઠ અને વૈશ્વિક નિષ્ણાંતોના સૂચનોના આધારે ચંદ્રયાન-3 પર કામ ચાલી રહ્યું છે.
કોરોનાને કારણે વિલંબઃ
મિશનમાં સતત વિલંબ થવાના કારણો અંગેના પ્રશ્નોના જવાબમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે,કોવિડ-19 રોગચાળાને કારણે ઘણા ચાલુ મિશન પ્રભાવિત થયા છે. લોકસભામાં એક લેખિત જવાબમાં, કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, અવકાશ ક્ષેત્રના સુધારા અને નવા રજૂ કરાયેલ માંગ-સંચાલિત મોડલના બેકગ્રાઉન્ડમાં પ્રોજેક્ટ્સની પ્રાથમિકતા નક્કી કરવામાં આવી છે. ચંદ્રયાન-3 મિશન 2021માં લોન્ચ થવાનું હતું, પરંતુ રોગચાળાને કારણે તેમાં વિલંબ થતો ગયો.
આ પણ વાંચો:GATE 2022 પરીક્ષા મોકૂફ નહીં રહે, નિર્ધારિત તારીખે યોજાશે પરીક્ષા: SC
આ પણ વાંચો:” જે દાયકોઓથી નથી થયું તે અમે 5 વર્ષમાં કર્યું”: યોગી આદિત્યનાથ