Aadhaar Card Update: આધાર કાર્ડ એક ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, જેનો આધુનિક સમયમાં દરેક જગ્યાએ ઉપયોગ થઈ રહ્યો છે. દરેક જગ્યાએ આધાર કાર્ડનો ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે આ દસ્તાવેજ મહત્વપૂર્ણ બની ગયો છે. UIDAIએ કહ્યું છે રાજ્ય અને સંસ્થાઓએ કોઈપણ વ્યક્તિના આધારને સ્વીકારતા પહેલા તેની ચકાસણી કરવી જરૂરી છે.
ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે માહિતી આપી છે કે (Aadhaar Card Update) આધારના તમામ ફોર્મ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે વેરીફાઈ કરી શકાય છે. જો આધાર કાર્ડ વેરિફિકેશન નહીં થાય તો અનેક મહત્વપૂર્ણ કામો અટકી શકે છે. આવી સ્થિતિમાં આધાર કાર્ડની ચકાસણી કરાવવી જરૂરી છે. ત્રણ સરળ સ્ટેપમાં આધાર કાર્ડની ચકાસણી કરી શકાય છો.
આધારની ઓનલાઈન ચકાસણી કેવી રીતે કરવી
-સૌથી પહેલા myaadhaar.uidai.gov.in વેબસાઈટ પર જાઓ.
-હવે તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો.
-આ પછી તમારે ‘Proceed and Verify Aadhaar’ પર ક્લિક કરવાનું રહેશે, તમારા આધારની ચકાસણી થઈ જશે.
ઑફલાઇન કેવી રીતે ચકાસવું
-સૌથી પહેલા mAadhaar એપ ડાઉનલોડ કરો.
-હવે તમારી એપ ખોલો અને QR કોડ સ્કેન કરો.
-આ પછી તમે તમારા આધારની નકલ ચકાસી શકો છો.
તાજેતરમાં જ મંત્રી કિરેન રિજિજુએ રાજ્યસભામાં માહિતી આપી હતી કે આધાર કાર્ડની ચકાસણી કરવી જરૂરી છે. રાજ્યસભામાં એક લેખિત જવાબમાં મંત્રીએ કહ્યું કે મતદાર યાદી વ્યવસ્તીત રાખવી એ સતત પ્રક્રિયા છે અને રાજકીય પક્ષો સહિત દરેક તેમાં સામેલ છે. રહેઠાણ, લગ્ન વગેરેના બદલાવ પછી તે અપડેટ થાય છે. આવા કિસ્સામાં તેને વેરીફાઇ કરવુ જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે આધાર કાર્ડ અપડેટ કરવાની ઘણી સુવિધાઓ માત્ર ઓનલાઈન જ આપવામાં આવે છે. તમે નામ, સરનામું, અને અન્ય બદલાવ ઓનલાઈન દ્ધારા કરી શકો છો. સાથે જ ફોટો, મોબાઈલ નંબર જેવી સુવિધાઓ અપડેટ કરવા માટે આધાર સેન્ટર પર જવું પડશે.