જામિયા મીલીયા ઇસ્લામીયાના વિદ્યાર્થીઓ ગુરુવારે રાષ્ટ્રપિતાના સ્મારક સ્થળ રાજઘાટ તરફ કૂચ કરી રહ્યા હતા ત્યારે એક યુવકે અચાનક જ એક પિસ્તોલ લહેરાવી હતી અને તેણે પેલીસ અને મીડિયા તેમજ ત્યાં હાજર તમામ લોકોની સામે જ કેમ્પસથી થોડા પગથિયા પર વિરોધ કરી રહેલા વિદ્યાર્થી પર ફાયરીંગ કર્યું હતું. ફાયરીંગમાં એક વિદ્યાર્થીને ઈજા પહોંચાડી હતી. આ ઘટના અંગે AIMIMના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ત્રણ ટ્વીટ કરીને ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર, પીએમ નરેન્દ્ર મોદી સહિત દિલ્હી પોલીસ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે નમસ્તે પીએમઓ, તેના(ફાયરીંગ કરનાર વ્યક્તિ) કપડા પરથી તેને ઓળખો.
પ્રથમ ટ્વિટમાં ઓવૈસીએ કહ્યું કે અનુરાગ ઠાકુર અને તમામ 9 PM રાષ્ટ્રવાદીઓનો આભાર, જેમણે આ દેશમાં એટલી નફરત ઉભી કરી છે કે પોલીસની નજર સામે આતંકવાદીએ એક વિદ્યાર્થીને ગોળી મારી દીધી હતી. હેલો પીએમ, તેના કપડાંથી તેને ઓળખો.
બીજા ટ્વીટમાં તેમણે કહ્યું કે ગયા મહિને જામિયામાં દિલ્હી પોલીસે તેમની(વિદ્યાર્થી) સાથે બહાદુરી બતાવી હતી? જો લાચાર લોકોને મારવાનું ઇનામ આપવામાં આવે તો તમે તે દરેક વખતે જીતી લેશો. શું તમે સમજાવી શકો છો કે બુલેટથી ઘાયલ પીડિતને કેમ બેરિકેડ પર ચડવું પડ્યું? શું તમારા સેવાના નિયમો તમને મનુષ્ય બનતા અટકાવે છે?
ત્રીજા ટ્વીટ પર તેમણે કહ્યું કે આ ઘટના આજે ત્યારે બની જ્યારે અમે ગાંધીજીને યાદ કરી રહ્યા હતા કારણ કે તેમની આતંકવાદી ગોડસે દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ વિદ્યાર્થીઓ આ ઘટનાના વિરોધમાં કૂચ પર જઈ રહ્યા હતા. આવી કાયરતા એમને ડરાવી શકશે નહીં. વિરોધ થશે. આ હવે ગોડસે વિ ગાંધી, આંબેડકર અને નેહરુનું ભારત છે. કોઇનો પક્ષ લેવો સરળ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.