ચેન્નઇઃ તમિલનાડુ સરકારની મળેલી પહેલી કેબિનેટમાં જયલલિતા ભારત રત્ન અને કાંસ્યની પ્રતિમાને સંસદ પરિસરમાં સ્થાપિત કરવાનો પ્રસ્તાવ પાસ કર્યો છે. આ બંનેની માંગ તમિલનાડુ સરકાર કેંદ્ર પાસે માંગ કરશે.
કેબિનેટે જયલલીતાનો સ્મારક નિર્માણનો પ્રસ્તાવ પણ પાસ કરવામાં આવ્યો છે. આ સ્મારક 15 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. જયલલીતાનો સ્મારક તેમના રાજકીય ગુરુ એમજીઆરના સ્મારક પાસે બનશે. કેબિનેટે ‘એમજીઆર સ્મારક’ નું નામ બદલીને ‘ભારત રત્ન ડૉ. એમજીઆર અને જયલલીતા સ્મારક’ કરવાનું નક્કી કર્યું છે. કેબિનેટના અધિકારીક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, કેંદ્રને એ ભલામણ કરવામાં આવી છે કે, માનનીય મુખ્યમંત્રી જે જયલલીતાને ભારત રત્ન આપવામાં આવે.