જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ છે. ખાનગી રાહે બાતમી મળ્યા બાદ દરેક વાહનોની તપાસ શરૂ કરવામાં આવી હતી. અને નાગરોટામાં સુરક્ષા કડક બનાવવામાં આવી હતી. આ સમય દરમિયાન સુરક્ષા દળોએ બાન ટોલ પ્લાઝા નજીક એક અવરોધ ઉભો કર્યો હતો. વાહનોની તપાસ દરમિયાન આતંકીઓના એક જૂથે સુરક્ષા દળો પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ બાદ આતંકીઓ જંગલ તરફ દોડવા લાગ્યા. આ પછી સવારે 5 વાગ્યે એન્કાઉન્ટર શરૂ થયું. આમાં 4 આતંકવાદીઓ માર્યા ગયા છે. એન્કાઉન્ટરને કારણે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ છે.
POLITICAL / બિહારની ચૂંટણી હાર્યા બાદ કોંગ્રેસમાં ઘમાસાણ, પ્રદેશ અધ્યક્ષ…
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ છે
વાહનોની તપાસ દરમિયાન આતંકવાદીઓના જૂથે સવારે 5 વાગ્યે સુરક્ષા દળો પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ બાદ આતંકીઓ જંગલ તરફ દોડવા લાગ્યા. પછી એન્કાઉન્ટર શરૂ થયું. આમાં 4 આતંકવાદીઓ માર્યા ગયા છે. એન્કાઉન્ટરને કારણે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ છે.
એવું માનવામાં આવે છે કે 3-4 આતંકીઓ ટ્રક દ્વારા જમ્મુ-શ્રીનગર હાઈવે થઈને કાશ્મીર જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ સમય દરમિયાન સુરક્ષાદળોએ આતંકીઓને ઘેરી લીધા હતા અને ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થઈ ગયું હતું.