જમ્મુ-કાશ્મીરનાં અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે આજે પણ અથડામણ જોવા મળી રહી છે. સેના દ્રારા આતંકીને શોધવા સધન સર્ચ ઓપરેશન ચલીવવામાં આવી રહ્યું છે. ત્યારે બે સ્થળોએ આતંકવાદી છુપાયા હોવાનાં ઇન્પૂટ મળતા સેના દ્રાર સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો. સેના દ્રારા આતંકી ઠેકાણાંને ઘેરો ઘાલવામાં આવતા આતંકીએ તરફથી ફાયરીંગ શરૂ કરવામાં આવ્યું હતું. આતંકીઓનાં ફાયરીંગ સામે જવાબી ફાયંરીગ કરવામાં આવતા આજે વધુ એક આતંકીને ઠાર મારવામાં આવ્યો હતો.
આપને જણાવી દઇએ કે સેના દ્રારા છેલ્લા ત્રણ દિવસથી સતત કાશ્મીર ખીણ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને છેલ્લા ત્રણ દિવસમાં પુલવામા અને અનંતનાગમાં 7 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. સમગ્ર ઓરપેશનમાં1 જવાને શહીદ થયા હતા. તો 2 જવાનો ઇજાગ્રસ્ત થયા હતા