26 January 2024/ 26 જાન્યુઆરી : ‘એક સૈનિક માટે ત્રિરંગામાં લપેટાઈને પાછા આવવું એ મોક્ષ સમાન છે’ શહિદ અંશુમાનના પિતા, કેપ્ટન અંશુમાન સિંહને આજે મળશે મરણોત્તર ‘કીર્તિ ચક્ર’

આજે દેશભરમાં ગણતંત્ર દિવસની ઉજવણી ચાલી રહી છે. રાજધાની દિલ્હીમાં આજે 26 જાન્યુઆરીના દિવસે શહીદોને પુરસ્કાર આપવામાં આવે છે. ભારતીય સૈન્યમાં મરણોત્તર ‘કીર્તિ ચક્ર’ શ્રેષ્ઠ વીરતા પુરસ્કાર માનવામાં આવે છે.

Top Stories India
YouTube Thumbnail 36 1 26 જાન્યુઆરી : ‘એક સૈનિક માટે ત્રિરંગામાં લપેટાઈને પાછા આવવું એ મોક્ષ સમાન છે’ શહિદ અંશુમાનના પિતા, કેપ્ટન અંશુમાન સિંહને આજે મળશે મરણોત્તર 'કીર્તિ ચક્ર'

દિલ્હી 26 જાન્યુઆરી : ‘એક સૈનિક માટે ત્રિરંગામાં લપેટાઈને પાછા આવવું એ મોક્ષ સમાન છે’ શહીદ કેપ્ટન અંશુમાન સિંહના પિતાના આ શબ્દો છે. કેપ્ટન અંશુમાન જેમણે સિયાચીન ગ્લેશિયરમાં સૈનિકોને બચાવતા પોતાના જીવનનું બલિદાન આપ્યું. તેમની આ વીરતા બદલ આજે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ પર તેમને મરણોત્તર ‘કીર્તિ ચક્ર’ પુરસ્કાર એનાયત કરાશે. શહીદ અંશુમાનના પિતા કહે છે કે કોઈપણ પિતા માટે પુત્રનું મૃત્યુ બહુ દુઃખદ હોય છે. પરંતુ જ્યારો પોતાનો સૈનિક પુત્ર દેશની સરહદ પર લડતા શહીદ થાય તે કોઈપણ પિતા માટે બહુ ગૌરવની વાત છે.

આજે દેશભરમાં ગણતંત્ર દિવસની ઉજવણી ચાલી રહી છે. રાજધાની દિલ્હીમાં આજે 26 જાન્યુઆરીના દિવસે શહીદોને પુરસ્કાર આપવામાં આવે છે. ભારતીય સૈન્યમાં મરણોત્તર ‘કીર્તિ ચક્ર’ શ્રેષ્ઠ વીરતા પુરસ્કાર માનવામાં આવે છે. ‘કીર્તિ ચક્ર’  પુરસ્કાર એ ભારત સરકાર દ્વારા એનાયત કરવામાં આવતો શાંતિના સમય માટેનો ઉચ્ચ કક્ષાનો વીરતા પુરસ્કાર છે. આ સન્માન સૈનિકો અને અસૈનિકો પૈકી ફરજ દરમિયાન બતાવેલી અસાધારણ વીરતા અથવા બહાદુરી, શૂરવીરતા અથવા બલિદાન જેવા પરાક્રમ માટે એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કાર મરણોપરાંત પણ આપવામાં આવતો હોય છે.આ વર્ષે કેપ્ટન અંશુમાન સિંહને આ સર્વોચ્ચ વીરતા પુરસ્કાર એનાયત થવાનો છે. આજે તેમનો પરિવાર ગણતંત્ર દિવસ પર આ પુરસ્કારનો સ્વીકાર કરશે. આ સંદર્ભે શહીદ અંશુમાનના પિતા સાથે વાત કરી ત્યારે તેમણે આ વાત જણાવી.

‘પુત્ર પર ગર્વ છે’ – શહીદના પિતા

અંશુમાનના પિતા રવિ પ્રતાપ સિંહએ કહ્યું કે પિતા માટે પુત્રના મૃત્યુથી વઘુ મોટું કોઈ દુઃખ નથી, પરંતુ આજે મને ગર્વ છે કે મારા પુત્રએ બહાદુરીથી દુશ્મનોને લડત આપતા દેશની સેવામાં પોતાનું જીવન બલિદાન આપ્યું. કારણ કે, હું પણ સૈનિક રહ્યો છું. અને એક સૈનિક માટે ત્રિરંગામાં લપેટાઈને પાછા આવવું એ મોક્ષ સમાન છે.  કેપ્ટન અંશુમન પરમધામ ગયા છે. દરેક વ્યક્તિએ આ દુનિયા છોડીને જવાનું છે, પરંતુ જે કાર્યોથી તેણે છોડ્યું, જે બહાદુરીથી તેણે દેશની સેવા કરી તે પેઢીઓ યાદ રાખશે. તેમણે અમારા પરિવાર તેમજ અમારા વિસ્તાર અને જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. તેથી જ હું તેના પિતા તરીકે ખૂબ જ ગર્વ અનુભવું છું.

શહીદના પિતાએ માન્યો આભાર

મારો પુત્ર દેશની સેવા કરતા શહીદ થયો છે. તે તેનું કર્તવ્ય હતું. જો કે તેના મૃત્યુને ભારત સરકારે તેમના પુત્રને યોગ્ય સન્માન આપ્યું છે. જે રીતે મને ભારત સરકાર તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અને ઉત્તર પ્રદેશ સરકાર તરફથી યોગી આદિત્યનાથજી અને જિલ્લા મેજિસ્ટ્રેટ વગેરે તરફથી સમર્થન મળ્યું છે તેના માટે હું આભારી રહીશ.

ઉત્તરપ્રદેશના રહેવાસી

ગણતંત્ર દિવસ (26 જાન્યુઆરી)ના અવસર પર કેપ્ટન અંશુમાન સિંહને  મરણોત્તર ‘કીર્તિ ચક્ર’ એનાયત કરવામાં આવશે. કેપ્ટન અંશુમાન સિંહ ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના રહેવાસી છે. કેપ્ટન અંશુમાન સિંહ આ બહાદુરી પુરસ્કાર મેળવનાર દેવરિયા જિલ્લાના પ્રથમ શહીદ છે. દેવરિયા જિલ્લાના લાર પોલીસ સ્ટેશનના ગામ બરડીહા દલપતના રહેવાસી રવિ પ્રતાપ સિંહ સેનામાં સુબેદારના પદ પરથી નિવૃત્ત છે. તેમને બે પુત્ર અને એક પુત્રી છે. તેમના મોટા પુત્ર અંશુમાન સિંહ (27) એએફએમસી હેઠળ સેનામાં જોડાયા હતા. અંશુમાન સિંહ 26 પંજાબ રેજિમેન્ટમાં મેડિકલ ઓફિસર હતા, જેનું પોસ્ટિંગ સિયાચીન ગ્લેશિયરમાં હતું.

કેપ્ટન અંશુમાન

વાસ્તવમાં, 19 જુલાઈ, 2023 ના રોજ, સિયાચીન ગ્લેશિયરના બંકરમાં અચાનક આગ લાગી હતી. કેપ્ટન અંશુમાન સિંહ સૈનિકોને બચાવવા બંકરમાં પ્રવેશ્યા. તેમણે ચાર સૈનિકોને સુરક્ષિત બહાર કાઢ્યા પરંતુ તે પોતે અંદર ફસાઈ ગયો અને ગંભીર રીતે દાઝી ગયો. તેમને હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

કેપ્ટન અંશુમાન સીયાચીનમાં ગયા તેના થોડા મહિના પહેલા જ તેમના લગ્ન થયા હતા. લગ્નના બહુ ઓછા સમયમાં સરહદ લડતા કેપ્ટન શહીદ થતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. હવે જ્યારે તેમને મરણોત્તર કીર્તિ ચક્રથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે ત્યારે પિતા રવિ પ્રતાપ સિંહ અને માતા મંજુ સિંહ સહિત સમગ્ર પરિવાર અને પોતાના પુત્ર પર ગર્વ અનુભવી રહ્યો છે.