મહેસાણાથી હજારો માઈ ભક્તોમાં આદ્ય શક્તિના દર્શનાર્થે પદયાત્રાએ નિકળ્યા છે. જેના પગલે પદયાત્રીઓને રાત્રી રોકાણ અને ભોજનમાં પણ કોઈ તકલીફ ન પડે તે માટે ઠેર ઠેર સેવા કેમ્પ પણ ખોલવામાં આવ્યા છે. ખેરાલુ તાલુકાના મહેકુબપુરા ગામ પાસે ઉબખલ ગામ જય અંબે મિત્ર મંડળ અને સાર્થક ગ્રુપના જશુભાઈ પટેલ દ્વારા ભક્તોને ચા નાસ્તાથી માંડીને ભરપેટ ભોજન આપવામાં આવી રહ્યું છે. તો પદયાત્રીઓ રાત્રે આરામ કરી શકે તે માટે પણ વિશાળ મંડપ બાંધવામાં આવ્યા છે.
ભાદરવી પૂનમ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ અંબાજી તરફ જતા માર્ગે શ્રદ્ધા નો સાગર છલકાઈ રહ્યો છે. હાલમાં મોટી સંખ્યામાં માઇ ભક્તો અંબાજી તરફ જતા માર્ગે પદયાત્રા કરી રહ્યા છે.અને માર્ગો બોલ માડી અંબે જય જય અંબે ના નાદ થી ગુંજી ઉઠ્યા છે. ત્યારે આ પદયાત્રીઓને રાત્રી રોકાણ અને ભોજનમાં પણ કોઈ તકલીફ ન પડે તે માટે ઠેર ઠેર સેવા કેમ્પ પણ ખોલવામાં આવ્યા છે.
ખેરાલુ તાલુકાના મહેકુબપુરા ગામ પાસે ઉબખલ ગામ જય અંબે મિત્ર મંડળ અને સાર્થક ગ્રુપના જશુભાઈ પટેલ દ્વારા ભક્તો ને ચા નાસ્તા થી માંડીને ભરપેટ ભોજન આપવામાં આવી રહ્યું છે.
તો પદયાત્રીઓ રાત્રે આરામ કરી શકે તે માટે પણ વિશાલ મંડપ બાંધવામાં આવ્યા છે. જશુભાઈ પટેલ દ્વારા છેલ્લા 17 વર્ષ થી આ સ્થળે કેમ્પ કરવામાં આવે છે.સતત 6 દિવસ સુધી ચાલતા આ કેમ્પમાં દર વર્ષે 75000 લોકો ભોજન નો લાભ મેળવે છે.માત્ર આર્થિક જ સહયોગ નહીં પણ જશુભાઈ પટેલ અને તેમનો પરિવાર સતત 6 દિવસ આ કેમ્પમાં ખડેભગે ઉભા રહી પદયાત્રીઓની સેવા કરે છે.
મજલીસમાં છવાયો માતમ / વણમાંગી સલાહ કેમ આપો છો કહી આધેડમાં પેટમાં છરીનાં ઘા ઝીંકી કરાઇ હત્યા