Accident/ ધર્મજ-તારાપુર હાઇવે પર લકઝરી પલટી જતા 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત

લકઝરી બસના વાહન ચાલકે બસ પુરઝડપે હંકારતા સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા રોડ ઉપર લાગેલા સાઇન બોર્ડ સાથે બસ ધડાકેભેર અથડાઇ હતી અને પલટી મારી ગઇ હતી

Top Stories Gujarat
7 7 ધર્મજ-તારાપુર હાઇવે પર લકઝરી પલટી જતા 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત
  • ધર્મજ-તારાપુર હાઇવે રસ્તા ઉપર લકઝરી બસ પલટી મારી
  • રોડ ઉપર લગાવેલ સાઈન બોર્ડ સાથે બસ અથડાઈ
  • સુરત થી પાલિતાણા જતી બસને નડ્યો અકસ્માત
  • 30 મુસાફરો બસમાં સવાર હતા
  • 3 વ્યક્તિઓને ગંભીર ઇજા
  • સુરતના કતાર ગામ થી જેસર પાલિતાણા જઇ રહી હતી બસ

ગુજરાતમાં દિન-પ્રતિદિન અકસ્માતના કેસોમાં વધારો થાય છે, ટ્રાફિકના નિયમો નેવે મૂકીને વાહન હંકારતા હોવાથી અકસ્માત સર્જાય છે. આણંદથી અકસ્માતના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ધર્મજ-તારાપુર હાઇવે પર લકઝરી બસ પલટી જતા ગમખ્વાર અકસ્માત સર્જોયો છે. લકઝરી બસના વાહન ચાલકે બસ પુરઝડપે હંકારતા સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા રોડ ઉપર લાગેલા સાઇન બોર્ડ સાથે બસ ધડાકેભેર અથડાઇ હતી અને પલટી મારી ગઇ હતી. આ અકસ્માત થતાં આજુબાજુના રહીશો બચાવ માટે દોડી આવ્યા હતા અને સત્વરે પોલીસને જાણ કરી હતી. પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી જે લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ અકસ્માતમાં ઇજાગ્રસ્તને સત્વરે હોસ્પિટલમાં પહોચાડવામાં આવ્યા છે. પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી  છે. આ લકઝરી બસ સુરતના કતાર ગામથી જેસર પાલિતાણા જઇ રહી હતી. આ બસમાં 30 લોકો સવાર હતા.