રવિવારે ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને અભિનેતા સની દેઓલનો બંગલો અચાનક હેડલાઇન્સમાં છવાઇ ગયો હતો. હકીકતમાં, બેંક ઓફ બરોડાએ આગલા દિવસે એક અખબારમાં નોટિસ જાહેર કરીને કહ્યું હતું કે અભિનેતાના બંગલાની 25 સપ્ટેમ્બરે હરાજી કરવામાં આવશે. હવે સોમવારે સવારે બેંક દ્વારા વધુ એક જાહેરાત બહાર પાડવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ગત દિવસે આપવામાં આવેલી નોટિસ પાછી ખેંચવામાં આવી રહી છે.
બેંક દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, સની દેઓલના બંગલાની હરાજી માટે અખબારમાં આપવામાં આવેલી નોટિસ કેટલાક ટેકનિકલ કારણોસર પાછી ખેંચવામાં આવી રહી છે. હવે કોંગ્રેસ પાર્ટીના નેતા જયરામ રમેશે આ પર મોટો પ્રહાર કર્યો છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે આ ટેકનિકલ કારણો શું છે?
24 કલાકથી ઓછા સમયમાં નોટિસ પછી ખેંચી- જયરામ રમેશ
જયરામ રમેશે ટ્વીટ કર્યું, “ગઈકાલે બપોરે દેશને ખબર પડી કે બેંક ઓફ બરોડાએ બીજેપી સાંસદ સની દેઓલના જુહુ નિવાસસ્થાનને ઈ-ઓક્શન માટે મૂક્યું છે કારણ કે તેણે બેંકને 56 કરોડ રૂપિયા ચૂકવ્યા નથી. આજે સવારે 24 કલાકથી ઓછા સમયમાં, રાષ્ટ્રને ખબર પડી કે બેંક ઓફ બરોડાએ ‘ટેકનિકલ કારણોસર’ હરાજીની નોટિસ પાછી ખેંચી લીધી છે. આશ્ચર્ય છે કે આ ‘તકનીકી કારણો’ કોણે ઉશ્કેર્યા?”
આપને જણાવી દઈએ કે, રવિવારે બેંકે નોટિસ જારી કરી હતી કે અભિનેતા સની દેઓલે બેંકમાંથી લીધેલી લોનની ચુકવણી કરી નથી, ત્યારબાદ બેંક હવે અભિનેતાના જુહુ વિલાની હરાજી કરવા જઈ રહી છે. આ વિલાનું નામ સની વિલા છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે સની દેઓલ પર 56 કરોડ રૂપિયાનું દેવું છે.
સની દેઓલનું સત્તાવાર નામ અજય સિંહ દેઓલ છે. તેઓ 2019થી પંજાબની ગુરદાસપુર સીટથી ભાજપના સાંસદ છે. તેમણે કોંગ્રેસના તત્કાલિન નેતા સુનીલ જાખડને હરાવ્યા હતા. અભિનેતા વિનોદ ખન્ના લાંબા સમય સુધી આ બેઠક પરથી ભાજપના સાંસદ હતા.
સનીની ફિલ્મ ગદર-2 જબરદસ્ત કમાણી કરી રહી છે. ફિલ્મે રવિવારે 39 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે જ 10 દિવસમાં ફિલ્મનું કુલ કલેક્શન 375 કરોડ રૂપિયા થઈ ગયું છે. તે જ સમયે, તેણે વિશ્વભરમાં 433 કરોડનું કલેક્શન કર્યું છે. આ આંકડાઓ પોતાનામાં ઐતિહાસિક છે. લગભગ 70 થી 80 કરોડમાં બનેલી આ ફિલ્મ હવે 400 કરોડના ક્લબમાં સામેલ થવા માટે તૈયાર છે.
આ પણ વાંચો:સી. આર. પાટિલની અધ્યક્ષતામાં મળી ભાજપની બેઠક, કરાઈ આ મહત્વની ચર્ચાઓ
આ પણ વાંચો:મુકુલ વાસનિક બન્યા ગુજરાત કોંગ્રેસના પ્રભારી
આ પણ વાંચો:સુરતમાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ,પરિણીતાને સાસરિયા પર લગાવ્યા ગંભીર આક્ષેપો
આ પણ વાંચો:શ્રાવણ માસના પહેલા દિવસે સ્વયંભૂ પ્રગટેલા જડેશ્વર મહાદેવના મંદિરમાં દર્શનાર્થીઓનો જમાવડો