ક્રાઈમ/ સુરતમાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ,પરિણીતાને સાસરિયા પર લગાવ્યા ગંભીર આક્ષેપો

સુરત શહેરના કતારગામ વિસ્તારમાંમાં આવેલી સંતોષીનગર સોસાયટીમાં રહેતા વિવેક ઝવેર કાચરીયા એ યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.બે વર્ષના લગ્ન જીવનનો કરુણ અંજામ સામે આવ્યો હતો.

Gujarat Surat
Untitled 149 3 સુરતમાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ,પરિણીતાને સાસરિયા પર લગાવ્યા ગંભીર આક્ષેપો

@દિવ્યેશ પરમાર 

સુરતના કતારગામ વિસ્તારમાં બે વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરનાર પરણીતાને તેમના જ સાસરીયા પક્ષ દ્વારા ઢોર માર મરાયા ના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ કરી હતી મહિલાના શરીર પર ગંભીર ઇજાના નિશાનો પણ જોવા મળ્યા હતા પ્રેમ લગ્નનો કરુણ અંજામ આવ્યા હોવાનું પરણીતા એ જણાવ્યું હતું

સુરત શહેરના કતારગામ વિસ્તારમાંમાં આવેલી સંતોષીનગર સોસાયટીમાં રહેતા વિવેક ઝવેર કાચરીયા એ યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.બે વર્ષના લગ્ન જીવનનો કરુણ અંજામ સામે આવ્યો હતો.જેમાં પરણીતા એ તેમનાજ સાસરીયા પક્ષ દ્વારા ઢોર માર મરાયો હોવાનો આક્ષેપ કર્યો હતો.

મહત્વનું છે કે હાલ પરિણીતા સુરતની પ્રાણનાથ હોસ્પીટલમાં સારવાર હેઠળ છે.તેમના શરીર પર ગંભીર મારવાના ઈજાના નિશાનો દેખાયા હતા સમગ્ર મામલે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાય છે પરિણીતા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમણે લવ મેરેજ કર્યાના ત્રણ મહિના બાદ સાસરીયા પક્ષ દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા જોકે લગ્નના બે વર્ષ થયા બાદ પણ સાસરીયા પક્ષ દ્વારા મારજુડ કરવાનું ચાલુ રાખ્યું હતું.

જેમાં પતિ વિવેક કાચરિયા, સાસુ મીના કાચરિયા અને નણંદ નેહા માનસિક ત્રાસ આપતા હોવાનું તેમજ માર મારવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો એમાં ગતરાત્રિના સમયે પરિણીતાને રાત્રે એક થી ત્રણ વાગ્યા સુધી લાકડાના ફટકા અને કાતર વડે મુંઢ ઘા મારી ગંભીર રીતે ઇજા પહોંચાડી હતી હાલ સમગ્ર મામલે કતારગામ પોલીસે તપાસ હાથ ધરી છે.

મહત્વનું છે કે મહિલાના પતિ સહિત સાસરીયા એ માર માર્યા હોવાનો આરોપ સાથે પરિણીતા પ્રાણનાથ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જોકે પરિણીતાના શરીર પર પણ ગંભીર ઈજાના નિશાનો જોવા મળ્યા હતા હાલ સમગ્ર મામલો શું હતો શા માટે પરણીતા ને મારવામાં આવ્યો હતો તે અંગે કતારગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:શ્રાવણ માસના પહેલા દિવસે સ્વયંભૂ પ્રગટેલા જડેશ્વર મહાદેવના મંદિરમાં દર્શનાર્થીઓનો જમાવડો

આ પણ વાંચો:સાઈબર ક્રાઈમની ફરિયાદ બાદ સુરતની 27 હીરા કંપનીઓનાં બેન્ક ખાતા ફ્રીઝ, કરોડોના વ્યવહારો ખોરવાયા

આ પણ વાંચો:બધુજ અહીંયા સસ્તું છે ….સસ્તા હે પણ આછા હે અમદાવાદ

આ પણ વાંચો:ભરૂચમાં ઈમારત ધરાશાયી થતા નિંદ્રાધીન પરિવાર કાટમાળમાં દટાયો, એકનું મોત