જૂનાગઢ,
જૂનાગઢના માંગરોળમાં માથાભારે તત્વોએ આતંક મચાવ્યો હતો. એક મકાનમાં આગચંપીને કરીને ફરાર થઇ ગયા હતા. મળતી માહિતી અનુસારા રાણીબાગ વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરમાં અસામાજિક તત્વોએ આંતક મચાવ્યો હતો અને મકાનમાં તોડફોડ કરીને આગ લગાવી હતી.
આ અસામાજિક તત્વોએ કેમ આ પ્રકારની કૃત્ય કર્યું તે અકબંધ છે. અસામાજિક તત્વોના ત્રાસથી લોકમાં ભયનો માહોલ ફેલાઇ ગયા હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને બે લોકોને પકડી પાડ્યા હતા અને અન્ય એક ફરારને પકડવા માટેની તજવીજ હાથધરી છે.