આજે જૂનાગઢની મહાનગર પાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયુ છે જેમા ભાજપનાં ફાળે 59 બેઠકોમાંથી 54 બેઠકોમાં વિજય મળ્યો છે, જ્યારે કોંગ્રેસ અહી માંડ એક બેઠક પર જીત મેળવી શક્યુ છે. કોંગ્રેસની તુલનામાં એનસીપીને વધુ બેઠકો મળી છે, એનસીપીને કુલ 44 બેઠકોમાં જીત મળી છે. અહી મનપા વિપક્ષનાં નેતા કેપ્ટન સતીષ વિરડાની પેનલની કારમી હાર થઇ છે.
જૂનાગઢનાં કોંગ્રેસનાં વિપક્ષનાં નેતા કેપ્ટન સતીષ વિરડાએ પોતાની કારમી હાર બાદ મીડિયા સાથે ખાસ વાત કરતા કહ્યુ કે, છેલ્લા પાંચ વર્ષથી ભાજપનો મહાનગરપાલિકાનું જૂનાગઢમાં શાસન હતુ છતા પણ જનતા તેમના પક્ષે રહી છે આ બહુ સ્પષ્ટપણે સાબિત કરે છે કે જૂનાગઢની જનતાને ભ્રષ્ટાચારી શાસન પોસાય છે અને તેને અનુકૂળ આવી ગયુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.