Not Set/ જૂનાગઢ આપઘાત/ રબારી સમાજ આકરા પાણીએ, 3 શરતો સ્વીકાર્યા પછી જ સ્વીકારાશે મૃતદેહ

જૂનાગઢમાં વિદ્યુત નિરીક્ષકની કચેરીમાં પટાવાળાએ કરેલો આપઘાતનો મામલો ગરમાયો છે. રબારી સમાજે મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. અને મોટી સંખ્યામાં રબારી સમાજને હોસ્પિટલ બહાર ડેરા નાખ્ય઼ા છે. તેમજ રબારી સમાજના આગેવાનો તથા ભુવા આતાએ મીટીંગ બોલાવી હતી. રબારી સમાજની ત્રણ નિર્ણયો લેવામાં આવ્યા છે. પહેલા ગણપત વસાવા વિરુદ્ધ ફરિયાદ નોધવામાં આવે..સાથે જ બને છોકરાઓને 24 […]

Top Stories Gujarat Others
જુનાગઢ 2 જૂનાગઢ આપઘાત/ રબારી સમાજ આકરા પાણીએ, 3 શરતો સ્વીકાર્યા પછી જ સ્વીકારાશે મૃતદેહ

જૂનાગઢમાં વિદ્યુત નિરીક્ષકની કચેરીમાં પટાવાળાએ કરેલો આપઘાતનો મામલો ગરમાયો છે. રબારી સમાજે મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. અને મોટી સંખ્યામાં રબારી સમાજને હોસ્પિટલ બહાર ડેરા નાખ્ય઼ા છે. તેમજ રબારી સમાજના આગેવાનો તથા ભુવા આતાએ મીટીંગ બોલાવી હતી.

રબારી સમાજની ત્રણ નિર્ણયો લેવામાં આવ્યા છે. પહેલા ગણપત વસાવા વિરુદ્ધ ફરિયાદ નોધવામાં આવે..સાથે જ બને છોકરાઓને 24 કલાકમાં નોકરી આપવામાં આવે…અને બાકીના 93 છોકરાઓ સાથે ન્યાય કરવામાં આવે..જો આ ત્રણેય માંગ પૂર્ણ થશે તો જ મૃતદેહનો સ્વીકાર કરવામાં આવે નહી વિરોધ યથાવત રહેશે.

આપને જણાવી દઇએ કે, જૂનાગઢમાં સરકારી કચેરીમાં કર્મચારીએ આપઘાત કર્યો હતો.  સહાયક વિધુત નિરિક્ષકની કચેરીમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા માંજર મુંજાભાઇ હુણ નામની વ્યક્તિએ ગળોફાંસો ખાઈ મોતને વ્હાલુ કર્યુ હતું. તેમના આપઘાતના પગલે વિદ્યુત સહાયક કચેરીએ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

મૃતકની પાસેથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમ તેમના બંને પુત્રોને LRD પરીક્ષામાં અન્યાય થાયોહોવાનો ઉલ્લેખ જોવા મળે છે. મૃતકે લખેલી સ્યુસાઈડ નોટમાં ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમા રબારી સમાજને જણાવવામાં આવ્યુ હતુ કે, ભાજપને કદી સમર્થન ન આપવા તેમના સમાજ અને ગરીબ લોકોને અપીલ કરી હતી.

તેમને સ્યુસાઈડ નોટ માં લખ્યું છે કે, આ ભાજપ સરકાર કોઈ કાર્યવાહી કરશે નહી. પરંતુ ઉપરવાળો ભગવાન નક્કી ન્યાય આપશે. હું મારા બંને દીકરાની વેદના જાઈ ના શક્યો. મોઢે આવેલ કોળિયો આ સરકારે ઝૂંટવી લીધો. સરકાર ગરીબોને મારી નાખશે.

ઉલ્લેખનીય છે કે અગાઉ સુરત ખાતે પણ એક રીક્ષા ચાલકે આત્મહત્યા કરી હતી. સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં ટ્રાફિક મેમોથી કંટાળીને એક 65 વર્ષીય રિક્ષાચાલક સરફરાઝ શેખે આપઘાત કરી લીધો હતો. સરફરાઝ શેખે આપઘાત પહેલા સ્યૂસાઈડ નોટ લખી હતી.જેમાં જણાવ્યું હતું કે, મારી આત્મહત્યાનું કારણ મારો પરિવાર નથી સરકાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.