એક તરફ બોલિવૂડની ફિલ્મો સાઉથની ફિલ્મોથી ફ્લોપ સાબિત થઈ રહી છે. તાજેતરમાં, ઘણા પ્રખ્યાત કલાકારોની મોટી ફિલ્મો ફ્લોપ થઈ છે. આ દરમિયાન ફિલ્મ નિર્માતા કરણ જોહરે હિન્દી સિનેમા અને દક્ષિણ સિનેમા વચ્ચેની ચર્ચા પર વાત કરી હતી. કન્નડ ફિલ્મ KGF: Chapter 2 ની સફળતા વિશે વાત કરતાં તેણે કહ્યું કે બોલિવૂડમાં ફિલ્મ નિર્માતાઓને સાઉથ ઈન્ડસ્ટ્રીમાં જેટલી છૂટ આપવામાં આવે છે તેટલી છૂટ આપવામાં આવતી નથી.
એક ઈન્ટરવ્યુમાં વાત કરતા કરણે કહ્યું, KGFની સફળતા પર ખુશી વ્યક્ત કરી હતી, પરંતુ કહ્યું હતું કે જો આવી ફિલ્મો બોલિવૂડમાં બની હોત તો તેને ભારે ટ્રોલ કરવામાં આવ્યો હોત. ફિલ્મ કમ્પેનિયન સાથે વાત કરતી વખતે, ‘જ્યારે મેં ‘KGF’ ના રિવ્યુ વાંચ્યા તો હું મૂંઝવણમાં પડી ગયો. મને લાગતું હતું કે જો અમે આ ફિલ્મ બનાવી હોત તો અમને લોકો મારવાં આવ્યાં હોત. પરંતુ હવે દરેક અહીં KGFની સફળતાની ઉજવણી કરી રહ્યા છે. જો કે, મને તે ખૂબ ગમ્યું, મને તે મારા દિલથી ગમ્યું, પરંતુ તેમ છતાં મેં વિચાર્યું કે જો આપણે આ કર્યું હોત તો શું થયું હોત?’.
બોલિવૂડ ફિલ્મો સતત ફ્લોપ થઈ રહી છે
આપને જણાવી દઈએ કે હિન્દી ફિલ્મો છેલ્લા કેટલાક સમયથી બોક્સ ઓફિસ પર કમાલ દેખાડી શકી નથી. તાજેતરના સમયમાં પ્રખ્યાત કલાકારોની ઘણી મોટી ફિલ્મો રિલીઝ થઈ અને ફ્લોપ સાબિત થઈ. ફ્લોપ થયેલી ફિલ્મોમાં શાહિદ કપૂરની જર્સી, અમિતાભ બચ્ચન અને અજય દેવગણની રનવે 34, ટાઈગર શ્રોફની હીરોપંતી 2, કંગના રનૌતની ધાકડ, રણવીર સિંહની જયેશભાઈ જોરદાર અને અક્ષય કુમારની તાજેતરમાં રિલીઝ થયેલી સમ્રાટ પૃથ્વીરાજનો સમાવેશ થાય છે.
વર્ક ફ્રન્ટ પર નજર કરીએ તો, કરણ જોહર જુગજુગ જિયોનું નિર્માણ કરી રહ્યો છે જેમાં વરુણ ધવન, કિયારા અડવાણી, અનિલ કપૂર અને નીતુ કપૂર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 24 જૂન 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
6 વર્ષ બાદ ફિલ્મને ડિરેક્ટ કરશે કરણ જોહર- કરન જોહર ‘રોકી ઓર રાની કી પ્રેમ કહાની’નું નિર્દેશન કરી રહ્યો છે. જેમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ છે. તે આશરે છ વર્ષ બાદ ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યાં છે. જેમાં ધરમેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી પણ છે આ ફિલ્મ 10 ફેબ્રુઆરી 2023નાં રિલીઝ થશે.
KGF-2 નાં બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો રૂ. 992 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. જ્યારે વર્લ્ડ વાઇડ તેણએ 1198 કરોડનો બિઝનેસ કર્યો છે. ટૂંક સમયમાં જ તે 1200 કરોડનાં આંકડાને પહોંચી જશે.
આ પણ વાંચો:એકબીજામાં ખોવાયેલા જોવા મળ્યા સિદ્ધાર્થ-કિયારા, ચાહકોએ કહ્યું, આ પ્રેમ નથી તો શું છે
આ પણ વાંચો:વરુણ ધવનના પિતા ડેવિડ ધવનને હોસ્પિટલમાં કરવા પડ્યા દાખલ, અભિનેતાએ કહ્યું હવે તેમની હાલત કેવી છે?
આ પણ વાંચો:‘મિર્ઝાપુર 3’નું શૂટિંગ શરૂ કરતા પહેલા કાલિન ભૈયાએ લીક કરી દીધી સ્ટોરી