રાજ્યપાલ સત્યપાલ મલિકના સલાહકાર ફારૂક ખાને જમ્મુ-કાશ્મીરના અટકાયત નેતાઓ અંગે મોટું નિવેદન આપ્યું છે. ગુરુવારે તેમણે કહ્યું હતું કે કાશ્મીરી નેતાઓને નજરકેદથી મુક્ત કરવામાં આવશે. જો કે, તે પહેલાં નજરકેદ હેઠળના દરેક વ્યક્તિની જરૂરી તપાસ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, 5 ઓગષ્ટના રોજ કલમ 370 ને નાબૂદ કર્યા બાદ, જમ્મુમાં અનેક નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યાં અનુસાર આ નેતાઓને એક પછી એક મુક્ત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ નેતાઓને બીડીસીની ચૂંટણીઓ જોતાં આ નેતાઓની નજર્કેડમથી મુક્ત કરવામાં આવી રહ્યા છે. જેથી રાજકીય પ્રવૃત્તિઓ શરૂ થઈ શકે.
એનસી નેતા અને પૂર્વ ધારાસભ્ય દેવેન્દ્રસિંહ રાણા, સુરજીતસિંહ સલાથિયા, જાવેદ રાણા અને સજ્જાદ કીચલુ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો રમણ ભલ્લા અને વિકાર રસૂલ અને જમ્મુ-કાશ્મીર પેન્થર્સ પાર્ટીના ભૂતપૂર્વ ધારાસભ્ય હર્ષદેવ સિંહને નજરકેદ કરવામાં આવ્યા હતા. તેમને કોઈ કામમાંથી બહાર નીકળવાની પરવાનગી લેવી પડી હતી. આ નેતાઓ 15 ઓગસ્ટના કાર્યક્રમોમાં પણ ભાગ લઈ શક્યા ન હતા.
તેમને પાર્ટી ઓફિસમાં જવાની પણ મંજૂરી નહોતી. આ નેતાઓના ઘરોની બહાર, પોલીસ અધિકારીઓને સાદા વેશમાં તૈનાત કરવામાં આવ્યા હતા, જે તેમની પ્રવૃત્તિઓ પર સતત દેખરેખ રાખે છે. એવું કહેવામાં આવે છે કે સુરજીતસિંહ સલાથિયાને ચાર-પાંચ દિવસ પહેલા વિજયપુર પહોંચવાની મંજૂરી આપવામાં આવી હતી. નજરકેદ માં થી મુક્ત કર્યા બાદ આ નેતાઓને કોઈ વિરોધાભાસી નિવેદન ન આપવા સૂચના આપવામાં આવી છે.
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“MantavyaNews” એપ્લિકેશન. Click https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.