નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને લઇને તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી અને નીરિક્ષણ કર્યું હતું. પ્રેઝન્ટેશન, સ્ટેચ્યુ વિઝીટ અને ટેન્ટ સીટીની તેમણે વિઝીટ કરી હતી. CMની મુલાકાત બાદ હવે પીએમ મોદીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે. 31 ઓકટોબરના PM મોદી સ્ટેચ્યુનું લોકાર્પણ કરશે.
31 ઓક્ટોમ્બરનાં રોજ વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ થનાર છે. જે બાદ પ્રતિદિન 15 હજાર પ્રવાસીઓ સ્ટેચ્યુની મુલાકાત લેવાના છે. જે માટે દિલ્હીની પ્રતિષ્ઠિત ટુર કંપનીઓને કેવડિયા બોલાવવામાં આવી છે. વિશ્વભરમાંથી પ્રવાસીઓને ખેંચી લેવા માટે કવાયત ચાલી રહી છે.