Bollywood/ કિયારા અડવાણીએ સુશાંત સિંહના જીવનના ખોલ્યા રહસ્યો, કહ્યું- માત્ર 2 કલાક ઊંઘ લેતો હતો અને…

સુશાંત સિંહ રાજપૂત વિશે વાત કરતાં કિયારા અડવાણીએ કહ્યું કે તેનું દિમાગ ખૂબ જ તેજ હતું. તે પોતાની પાસે એક ડાયરી રાખતો હતો, જેમાં તેણે…

Trending Entertainment
કિયારા અડવાણી

ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ 20 મે ના રોજ રીલિઝ થઈ રહી છે. ફિલ્મની રિલીઝ પહેલા અભિનેત્રી કિયારા અડવાણી તેના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન કિયારાએ તેના કો-સ્ટાર અને દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત વિશે વાત કરી. આપને જણાવી દઈએ કે, સુશાંત અને કિયારાએ ફિલ્મ એમએસ ધોનીમાં સાથે કામ કર્યું હતું. ફિલ્મમાં બંને સ્ટાર્સની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી. હવે અભિનેત્રીએ સુશાંત સિંહ રાજપૂતના જીવન સાથે જોડાયેલા ઘણા રહસ્યો જાહેર કર્યા છે અને જણાવ્યું છે કે અભિનેતા ફક્ત 2 કલાક જ ઊંઘતો હતો. તેની પાછળ એક ખાસ કારણ હતું, તો ચાલો આપને જણાવીએ કિયારાએ બીજું શું કહ્યું.

સુશાંત સિંહ રાજપૂત વિશે વાત કરતાં કિયારા અડવાણીએ કહ્યું કે તેનું દિમાગ ખૂબ જ તેજ હતું. તે પોતાની પાસે એક ડાયરી રાખતો હતો, જેમાં તેણે ધોનીની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ લખી હતી. તેની ભૂમિકા ભજવતા પહેલા, સુશાંત તેના વિશે સારું સંશોધન કરતો હતો અને બધું યાદ કરતો હતો.

a 53 કિયારા અડવાણીએ સુશાંત સિંહના જીવનના ખોલ્યા રહસ્યો, કહ્યું- માત્ર 2 કલાક ઊંઘ લેતો હતો અને...

કિયારાએ કહ્યું કે સુશાંત સિંહ રાજપૂત દિવસમાં માત્ર બે કલાક સૂતો હતો અને બીજા દિવસે શૂટિંગ માટે આવતો હતો. કિયારાએ કહ્યું કે મને આશ્ચર્ય થતું હતું કે માત્ર બે કલાકની ઊંઘ પછી પણ તે આટલો સક્રિય કેવી રીતે હતો. એકવાર અમે વાત કરી, ત્યારે સુશાંતે કહ્યું હતું કે માનવ શરીર માટે માત્ર બે કલાકની ઊંઘ પૂરતી છે. આનાથી શરીર આખો દિવસ આરામથી હલનચલન કરી શકે છે.

a 54 1 કિયારા અડવાણીએ સુશાંત સિંહના જીવનના ખોલ્યા રહસ્યો, કહ્યું- માત્ર 2 કલાક ઊંઘ લેતો હતો અને...

આપને જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂતની ‘એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’ વર્ષ 2016માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં સુશાંતના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી અને અભિનેતાને શ્રેષ્ઠ અભિનેતાનો સ્ક્રીન એવોર્ડ પણ મળ્યો હતો. આ પછી સુશાંતે છિછોરે, સોનચિરિયા, કેદારનાથ, શુદ્ધ દેશી રોમાન્સ જેવી ઘણી સારી ફિલ્મોમાં કામ કર્યું.

a 54 કિયારા અડવાણીએ સુશાંત સિંહના જીવનના ખોલ્યા રહસ્યો, કહ્યું- માત્ર 2 કલાક ઊંઘ લેતો હતો અને...

સુશાંત સિંહ રાજપૂતે જૂન 2020 માં દુનિયાને અલવિદા કહ્યું. તેણે આત્મહત્યા કરી લીધી હતી અને તેના મૃત્યુથી બધાને આઘાત લાગ્યો હતો. તેના મૃત્યુની તપાસ ઘણા દિવસો સુધી ચાલી પરંતુ તેમાં કંઈ ખાસ બહાર આવ્યું નહીં. સુશાંતના ચાહકો આજે પણ તેને યાદ કરે છે.

આ પણ વાંચો: BJPના દિગ્ગજ નેતાઓએ આપી સૂચના, કહ્યું- SC અને ST પ્રભાવિત બેઠક પર…

આ પણ વાંચો:બીજેપીએ ચિંતન શિબિરમાં અનેક મુદ્દે કર્યું મનોમંથન “આપ” ને રોકો અને અન્ય મુદ્દે મૌન રહો

આ પણ વાંચો:તાજમહેલના 22 રૂમના વિવાદ વચ્ચે ASIએ જાહેર કરી તસવીરો, આ વાસ્તવિકતા આવી સામે