ભારતીય ક્રિકેટ ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. કેએલ રાહુલ એશિયા કપની શરૂઆતની 2 મેચમાંથી બહાર થઈ ગયો છે. તેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે યોજાનારી મોટી મેચનો પણ સમાવેશ થાય છે. એશિયા કપ 30 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં પાકિસ્તાન અને નેપાળ ટકરાશે. ભારતીય ટીમ 4 સપ્ટેમ્બરે ગ્રુપ રાઉન્ડની તેની બીજી મેચમાં નેપાળ સામે ટકરાશે. ત્યાર બાદ સુપર-4 મેચો રમાવાની છે. એશિયા કપની વર્તમાન સિઝનમાં કુલ 6 ટીમો ભાગ લઈ રહી છે. ભારત, પાકિસ્તાન અને નેપાળ એક ગ્રુપમાં છે. બીજી તરફ શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનને બીજા ગ્રુપમાં સ્થાન મળ્યું છે.
BCCIએ મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો સંદેશ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં રાહુલ દ્રવિડે કહ્યું છે કે,કેએલ રાહુલ સારી વાપસી કરી રહ્યો છે, પરંતુ તે પાકિસ્તાન અને નેપાળ સામેની ટીમની પ્રથમ 2 મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં. આવી સ્થિતિમાં હવે ઈશાન કિશનને વિકેટકીપર તરીકે તક મળી શકે છે. રાહુલ લાંબા સમયથી ઈજાના કારણે ટીમમાંથી બહાર રહ્યો હતો. તે હાલમાં ટીમ સાથે બેંગલુરુમાં ટ્રેનિંગ કેમ્પમાં જોડાઈ રહ્યો છે. આ પહેલા પણ ઘણા દિગ્ગજ ખેલાડીઓએ ઈજા બાદ રાહુલની વાપસી પર સવાલો ઉઠાવ્યા છે.
શ્રેયસ અય્યર પણ ઈજામાંથી પરત ફરી રહ્યો છે
કેએલ રાહુલ ઉપરાંત મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર પણ ઈજા બાદ એશિયા કપથી વાપસી કરી રહ્યો છે. તાજેતરમાં જ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણા આયર્લેન્ડ સામેની ટી-20 સિરીઝથી પરત ફર્યા હતા. બંને બોલરોએ પણ શ્રેણીમાં સારું પ્રદર્શન કર્યું હતું. એશિયા કપ માટે વિકેટ કીપર બેટ્સમેન સંજુ સેમસનનો રિઝર્વ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં તેમના માટે પણ તક આવી શકે છે.
31 વર્ષીય કેએલ રાહુલે માર્ચ 2023માં ટીમ ઈન્ડિયા માટે છેલ્લી ઈન્ટરનેશનલ મેચ રમી હતી. એટલે કે તે લગભગ 6 મહિનાથી મેદાનથી દૂર છે. તેમણે અત્યાર સુધીમાં 54 વનડે રમી છે. ODIની 52 ઇનિંગ્સમાં રાહુલે 45ની એવરેજથી 1946 રન બનાવ્યા છે. તેમણે 5 સદી અને 13 અડધી સદી ફટકારી છે. 112 રન શ્રેષ્ઠ પ્રદર્શન છે.
આ પણ વાંચો:Advisory Against Betting And Gambling/ સરકારે સટ્ટાબાજીની જાહેરાતો પ્રદર્શિત કરવા પર લગાવ્યો પ્રતિબંધ, આદેશનું પાલન નહીં કરનાર સંસ્થાઓ સામે લેવાશે પગલાં
આ પણ વાંચો:BWF World Championships/ભારતના સ્ટાર ખેલાડી એચએસ પ્રણોયનું શાનદાર પ્રદર્શન,વિશ્વના નંબર-1ને હરાવી સેમિફાઇનલમાં કર્યો પ્રવેશ
આ પણ વાંચો:Asia Cup/એશિયા કપ માટે ભારતની ઐતિહાસિક પહેલ, BCCI પ્રમુખ રોજર બિન્ની અને રાજીવ શુક્લા પાકિસ્તાન જશે