દુનિયાની સૌથી મોટી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાના લોકાર્પણને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ૩૧ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૮૨ મીટરની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ઘાટન કરશે. આ સાથે જ પીએમ મોદીનું સપનું પૂર્ણ થવાના આરે છે.
સરદાર પટેલની દુનિયાની સૌથી ઉંચી પ્રતિમાના લોકાર્પણને લઈ ઘણી ચર્ચાઓ છે, સાથે સાથે આ પ્રતિમા કેવી હશે એને લઈને પણ ઘણી ચર્ચાઓ છે.
તમને જણાવી દઈએ કે, ૧૮૨ મીટરની સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયાની સૌથી મોટી પ્રતિમા છે અને આ પ્રતિમા આગળ વિશ્વની કોઈ પણ મૂર્તિ ટકતી નથી.
જાણો, કેવી હશે આ વિરાટ પ્રતિમા :
- સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરવામાં આવે તો, આ સરદાર પટેલની મૂર્તિ નર્મદા ડેમ પાસે બાંધવામાં આવી છે અને ત્યાં સુધી પહોચવા માટે તમારે બોટનો સહારો લેવો પડશે.
- આ પ્રતિમાને સામે બનાવેલો નવો બ્રિજ સામાન્ય વ્યક્તિઓ માટે છે, જેના દ્વારા લોકો અંદર આવી શકે અને સરદાર પટેલના પગ પાસેના પગથીયા સુધી પહોંચી શકે. આ માટે એક લીફટ પણ છે,જેના દ્વાર તમે અહિયાં સુધી પહોંચી શકો છો.
- આ સ્થાન પર બે લીફટ મુકવામાં આવી છે, જેના દ્વારા એકસાથે ૧૦૦ વ્યક્તિઓ સરદાર પટેલની મૂર્તિના માથા સુધી પહોંચી શકે છે. આ જગ્યાએ એક ગેલેરી પણ બનાવવામાં આવી છે, જ્યાંથી સરદાર સરોવર ડેમ જોઈ શકાય છે.
- સ્ટેચ્યુ ઓફ યુનિટીની બનાવટ અંગે વાત કરવામાં આવે તો, આ પ્રતિમાને બનાવવા માટે ઓક્ટોબર, ૨૦૧૪માં L&T કંપનીને ઓર્ડર આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને બનાવવા માટે ૪૪ મહિનાનો સમય લાગ્યો છે.
- સરદાર પટેલની આ મૂર્તિ બનાવવા માટે અંદાજે ૩૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પટેલની પ્રતિમામાં ચાર પ્રકારની ખાસ ધાતુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે, કે જેનાથી વર્ષો સુધી કાટ ન લાગવાની સંભાવના છે.