Sports News: ભારતીય ટીમ આ સમયે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ પાંચ ટેસ્ટની શ્રેણી રમી રહી છે. ભારતીય ટીમ બીજી ટેસ્ટે જીતી શ્રેણા 1-1 કરી છે. ટેસ્ટ સિરિઝ પછી ભારતીય ખેલાડીઓ આઈપીએલમાં ભાગ લેશે. ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપના એક વર્ષ બાદ ટી20 સિરિઝ રમશે.
ટી20 સિરિઝ ઝીમ્બાબ્વે ક્રિકેટ બોર્ડે (X) પર જાણકારી આપી હતી કે, ઝીમ્બાબ્વે અને ભારત વચ્ચે જુલાઈમાં પાંચ ટી20 મેચ રમાશે. 6 થી 14 જુલાઈ હરારે શહેરમાં આ મેચ રમાવાની છે. ઝીમ્બાબ્વે ક્રિકેટ ચીફે કહ્યું હતું કે, અમે જુલાઈ મહિનામાં ભારતીય ટીમની યજમાની કરશે. ભારતીય ટીમના ખેલથી ક્રિકેટને બહુ ફાયદો થયો છે. હું ફરીથી બીસીસીઆઈનો આભાર વ્યક્ત કરૂ છું.
બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે પણ ક્રિકેટમાં યોગદાન આપવાની વાત કરી હતી. ઝીમ્બાબ્વે ક્રિકેટને અમારા સમર્થનની જરૂર છે.
મેચનો કાર્યક્રમ
6 જુલાઈ – પહેલી T 20
7 જુલાઈ – બીજી T 20
10 જુલાઈ- ત્રીજી T 20
13 જુલાઈ- ચોથી T 20
14 જુલાઈ- પાંચમી T 20