શીતળા આઠમ: હિંદુ ધર્મમાં ચૈત્ર મહિનાની સાતમ અને આઠમે શીતળા સપ્તમી કે અષ્ટમી તિથિ ઉજવવામાં આવે છે. આ વખતે 2 એપ્રિલે તિથિને ઉજવવામાં આવશે. શીતળા આઠમને બસૌડા આઠમથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે માતા પાર્વતીના અવતાર શીતળા માતાની પૂજા કરવામાં આવે છે. આ વ્રતમાં તાજું ભોજન બનાવવામાં આવતું નથી. વાસી ખોરાકને પ્રસાદ તરીકે ગ્રહણ કરવામાં આવે છે.
વાસી પ્રસાદ ધરાવવાનું મહત્વ
શીતળા માતાને વાસી ભોજન ખૂબ જ પ્રિય છે. વાસી ભોગ ધરાવવા તિથિના એક દિવસ પહેલા રહડી, હલવો, પુરીઓ, પૌઆ, ખીર વગેરે વાનગીઓનો ભોગ ધરાવવામાં આવે છે. માન્યતા મુજબ શીતળા માતા તેમના ભક્તોને નિરોગી રહેવાના આર્શીવાદ આપે છે. વૈજ્ઞાનિક કારણ મુજબ ગ્રીષ્મ ઋતુમાં ખાવા-પીવાનું ખૂબ જ ધ્યાન રાખવાનું હોય છે.
દિવસા-રાત ઠંડી અને બપોરના સમયે ગરમી રહેવાથી સ્વાસ્થ્ય પર તેની ગંભીર અસર થાય છે. વર્ષમાં ઠંડી અને ગરમીમાં ઠંડુ ભોજન કરવાતી પાચનતંત્ર પર તેની માઠી અસર થતી નથી. ઠંડુ ભોજન આરોગવાથી વ્યક્તિ નિરોગી રહે છે.
આ પણ વાંચોઃ જાણો, ભગવાન વિષ્ણુના 7 સુપ્રસિદ્ધ મંદિરો અને તેનો ઈતિહાસ
આ પણ વાંચોઃ કોંગ્રેસ બેઠકમાં આજે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર થશે ચર્ચા
આ પણ વાંચોઃ કેજરીવાલની ધરપકડ મામલે દિલ્હી હાઈકોર્ટ આજે સુનાવણી હાથ ધરશે