તમે ક્યારેય વિચાર્યું છે કે પ્રાચીન મંદિરોમાં શા માટે કૂવો અથવા જળાશય બનાવવામાં આવ્યા છે ? તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે શા માટે પ્રદક્ષિણા કરીએ છીએ અને શા માટે કોઈ ચોક્કસ દિશામાં જ પ્રદ્ક્ષિણા થાય છે? આ બધા પાછળ વૈજ્ઞાનિક કારણો છે.
આવું કેમ..? / હિંદુ ધર્મના અંતિમ સંસ્કાર પછી નહાવું શા માટે જરૂરી છે?…
પ્રદક્ષિણા એટલે પરિભ્રમણ. ઉત્તરી ગોળાર્ધમાં, પ્રદક્ષિણા ઘડિયાળની દિશામાં કરવામાં આવે છે. આ પૃથ્વીના ઉત્તરી ગોળાર્ધમાં આ એક કુદરતી પ્રક્રિયા છે. જો તમે નજીકથી જોશો, તો જ્યારે તમે નળ ખોલો છો ત્યારે પાણી હંમેશાં ઘડિયાળની સોયની દિશામાં ફરીને નીચા પડતું દેખાશે. જો તમે દક્ષિણ ગોળાર્ધમાં જાઓ અને ત્યાં નળ ખોલશો તો પાણી એન્ટી કલોક વાઈસ ફરીને નીચે પડતું દેખાશે. આ વિજ્ઞના માટે પાણીને નહિ પરંતુ સમગ્રે ઉર્જા પ્રણાલીને લાગુ પડે છે.
જો ઉત્તરીય ગોળાર્ધમાં શક્તિનું સ્થાન હોય અને તમે તે સ્થાનની ઉર્જા ગ્રહણ કરવા માંગતા હો, તો તમારે ઘડિયાળની દિશાની સોયની દિશામાં તેની આસપાસ ફરવું જોઈએ. જ્યારે તમે ઘડિયાળની દિશામાં ફેફરો છો તો તમે કેટલીક ખાસ પ્રાકૃતિક શક્તિઓની સાથે પ્રદક્ષિણા કરો છો.
કોઈપણ પ્રતિષ્ઠિત સ્થળ વમળની જેમ કાર્ય કરે છે, કારણ કે તેમાં કંપન છે અને તે તેની તરફ ખેંચે છે. બંને રીતે દૈવી શક્તિ અને આપણા અંતરમન ની વચ્ચે જોડાણ સ્થાપિત કરે છે. આ શક્યતાને માની લેવાનો સૌથી સહેલો રસ્તો ઘડિયાળની દિશામાં આઇકોનિક સ્થાનની આસપાસ ફરવું છે. ખાસ કરીને વિષુવવૃત્તથી લઈને 33 ડિગ્રી અક્ષાંશ સુધી, આ સંભાવના એકદમ તીવ્ર છે, કારણ કે આ તે છે જ્યાં તમને મહત્તમ લાભ મળી શકે છે.
જો તમારે વધારે ફાયદો મેળવવા માંગતા હોય તો તમારા વાળ ભીના હોવા જોઈએ. તેવી જ રીતે, વધુ ફાયદા મેળવવા માટે, તમારા કપડા પણ ભીના હોવા જોઈએ. જો તમને આનાથી વધારે ફાયદો લેવો હોય તો તમારે નિર્વસ્ત્ર અવસ્થામાં પ્રદક્ષિણા કરવી જોઈએ. પરંતુ બેહતર છે કે તમે ભીના કપડામાં જ પ્રદક્ષિણા કરો.
આનું કારણ એ છે કે શરીર ખૂબ જ ઝડપથી સુકાઈ જાય છે, જ્યારે કપડાં લાંબા સમય સુધી ભીના રહે છે. આવી સ્થિતિમાં, કોઈમ પન શક્તિ સ્થળની પ્રદક્ષિણા ભીના કપડામાં કરવી બહેતર છે કારણે ભીના કપડા બહુ જ સારી રીતે ઉર્જાને શોષી શકે છે.
આ જ કારણ છે કે પહેલા દરેક મંદિરમાં કુવા કે જળાશયો આવેલ હતા. જેને સામાન્ય રીતે કલ્યાણી કહેવામાં આવતી હતી. એવું માનવામાં આવે છે કે તમારે પહેલા કલ્યાણીમાં ડૂબકી મારવી જોઈએ. અને પછી ભીના કપડાથી મંદિરની મુલાકાત લેવી જોઈએ, જેથી તમે તે પ્રતીક સ્થાનની ઉર્જાને શ્રેષ્ઠ રીતે શોષી શકો. પરંતુ આજે મોટાભાગની કલ્યાણી કાં તો સૂકાઈ ગઈ છે અથવા તો ગંદી થઈ ગઈ છે.
ધિંગા ગવર / એક એવો તહેવાર જ્યાં છોકરીઓ કુંવારા છોકરાઓને મારે છે દંડો, જે…
haunted / ભારતના આ 10 રાજમાર્ગો છે મોસ્ટ હોન્ટેડ એટલે કે ભૂતિયા માર્ગ…
launch / હોન્ડા લઈને આવી રહ્યું છે વિઝન 110 સ્કૂટર, આવા હશે ફિચર્સ…
કબ્રસ્તાન / રેઈન્બો વેલી – માઉન્ટ એવરેસ્ટ, એક ખુલ્લું કબ્રસ્તાન…
#Ajab_Gajab / આ ભારતના મુખ્ય 5 ‘ચોર બજાર’, જ્યાં મોબાઇલથી લઈને…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…