ઉના,
ઉના પડી રહેલા ભારે વરસાદને પગલે કુંવરજી બાવળિયા ઉનાના વાંસોજ ગામની મુલાકાતે ગયા હતા. ત્યારે બાવળિયા સામે સ્થાનિક મહિલાઓએ બળાપો કાઢયો હતો.
કુંવરજી બાવળિયા જ્યારે પાણી ભરાયેલા વિસ્તારની મુલાકાત દરમિયાન વાંસોજના ગામના મકાનમાં જતાં મહિલા દ્વારા તેમને બહારનો રસ્તો બતાવામાં આવ્યો હતો.
મહિલાએ કુંવરજી આવતા બળાપો કાઢતા ક્હ્યું હતું કે મતો લેવા આવી જાવ છો પણ કામ કરવા કોઈ કેમ આવતા નથી. અહિં રોડ બનાવા કેટલીય રજૂઆતો કરી છે. તો પ્રસાશન કહે છે આ ગામ તળમાં નથી આવતું અને હવે શું લેવા આવો છો…તેમ મહિલાએ કહી બાવળિયાને બહારનો રસ્તો દેખાડ્યો હતો.