ગુજરાતમાં એક બાજુ હાર્દિક પટેલ કોંગ્રેસમાં અને અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાય તેની ચર્ચા જોર પક્ડયું છે, ત્યારે ગુજરાતના બીજા મોટા નેતા કુંવરજી બાવળિયાએ દિલ્હીમાં ધામા નાખતા રાજકારણ ગરમાયું છે.
કુંવરજી બાવળિયાના દિલ્હી પ્રવાસને લઈને ચર્ચાઓ સેવાઈ રહી છે કે કુંવરજી બાવળિયા કોંગ્રેસના બાગી નેતાઓને પોતાની સાથે ભાજપમાં સામેલ કરવાના છે અને તેનાથી ભાજપને લોકસભાની ચૂંટણીમાં મોટો ફાયદો થશે.
તો બીજી બાજુ મીડિયા દ્વારા કુંવરજી બાવળિયાને આ મામલે પૂછતા તેમને સ્પષ્ટતા આપતા જણાવ્યું કે, હું અખિલ ભારતીય કોળી સમાજનું રાષ્ટ્રીય સંમેલનને લઈને દિલ્હીમાં આવ્યું છે..
તેને લઈને પીએમ સાથે ચર્ચા કરીશ. પરંતુ લોકસભા પહેલા કુંવરજીના દિલ્હી પ્રવાસને રાજકીય વિશ્લેષકો કઈક અળગ જ રીતે જોઈ રહ્યા છે.