Dharma and Bhakti: લક્ષ્મી નારાયણ યોગને જ્યોતિષમાં ખૂબ જ શુભ ગણવામાં આવે છે. સુખ-સમૃદ્ધિની સાથે દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે. જ્યારે કુંડળીમાં એક જ સ્થાનમાં શુક્ર અને બુધની યુતિ હોય છે, ત્યારે લક્ષ્મી નારાયણ યોગ બને છે. 10 મેના રોજ ગ્રહોનો રાજકુમાર અને બુદ્ધિ આપનાર બુધ પણ આ રાશિમાં પ્રવેશ કરશે. એવામાં મેષ રાશિમાં બુધ અને શુક્રની યુતિથી લક્ષ્મી નારાયણ યોગ બની રહ્યો છે. જાણો લક્ષ્મી-નારાયણ યોગથી કઈ રાશિના જાતકોને ફાયદો થશે.
મેષ- આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે. વેપારમાં તમને સારા પરિણામ મળી શકે છે. અચાનક ધનલાભની સ્થિતિ સર્જી શકે છે. નવું વાહન ખરીદવાના યોગ બને છે. કાર્યોમાં સફળતા મળશે, સંતાન તરફથી શુભ સમાચાર મળે.
સિંહ- આ રાશિના લોકો માટે લક્ષ્મી નારાયણ યોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવી શકે છે. અટકેલું ધન પાછું મેળવી શકો છો. રોકાણ કરવાથી લાભ થાય. ઘરમાં ધાર્મિક કાર્યો થાય. નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમયગાળા દરમિયાન શરૂ કરવું ફાયદાકારક રહેશે. જીવનમાં સકારાત્મક ઊર્જા વધે.
ધન- આ રાશિના જાતકોને ખૂબ જ શુભ પરિણામ મળશે. દેવામાંથી મુક્તિ મળે, સંપત્તિમાં વધારો થાય. આવકના નવા સ્ત્રોતો ખુલે. ભૌતિક સુખ-સુવિધામાં વધારો થાય. જમીન-મકાનની ખરીદી થાય. વિઘ્ન વિના કાર્ય પૂર્ણ કરી શકો.
આ પણ વાંચો:રસોડામાં વપરાતા મસાલાઓનું ગ્રહો સાથે શું સંબંધ છે?
આ પણ વાંચો: