Australia News: ઉત્તર પાપુઆ ન્યુ ગિનીમાં ભૂસ્ખલનથી મૃત્યુઆંક 300થી પણ વધુ જવાની આશંકા છે. શુક્રવારે ભૂસ્ખલનમાં 1,182 મકાનો દટાયા હતા. 4 લોકોનાં મૃત્યુ થયા હોવાનું જાણવા મળ્યું છે. ઓસ્ટ્રેલિયન સરકારે જણાવ્યું કે, મુલ્લીટાકા વિસ્તારમાં ભૂસ્ખલનથી 6થી વધુ ગામો પ્રભાવિત થયા છે.
મૃત્યુઆંક વધવાની ભીતિ
પાપુઆ ન્યુ ગિનીની રાજધાની પોર્ટ મોરેસ્બીમાં ઓસ્ટ્રેલિયન હાઈ કમિશન, ભુસ્ખલનથી થયેલાં નુકસાનનું મૂલ્યાંકન કરવા અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે.
પીએમ જેમ્સ મારાપે પ્રતિક્રિયા આપી
ભૂસ્ખલનથી હાઈવે બંધ થઈ ગયો છે, અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચવા માટે હેલિકોપ્ટરની મદદ લેવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. વડાપ્રધાન જેમ્સ મારાપે જણાવ્યું હતું કે આપત્તિ અધિકારીઓ, સંરક્ષણ દળ અને વર્ક્સ અને હાઇવે વિભાગ શોધ અને બચાવ પ્રયાસોમાં મદદ કરી રહ્યા છે.
લોકો કાટમાળ નીચે દટાયેલા મૃતદેહોને બહાર કાઢવા લાગ્યા
સોશિયલ મીડિયા પર ફરતા વીડિયોમાં લોકો કાટમાળ નીચે દટાયેલા મૃતદેહોને બહાર કાઢતા જોવા મળી રહ્યા છે. ચારે બાજુ મોટા પથ્થરો અને તૂટેલા વૃક્ષો દેખાય છે. જેના કારણે મકાનોને પણ નુકસાન થયું છે. ટ્રાફિકને પણ અસર થઈ છે. ટાપુ રાષ્ટ્રમાં ભૂસ્ખલનને કારણે પોરગેરા સોનાની ખાણમાં કામ પ્રભાવિત થયું છે. તે બેરિક ન્યૂ ગિની લિમિટેડ વતી બેરિક ગોલ્ડ દ્વારા સંચાલિત છે.
આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં આજે ‘રેમલ’ વાવાઝોડું ત્રાટકવાની સંભાવના, NDRF એલર્ટ
આ પણ વાંચો: સાતમા અને અંતિમ તબક્કા માટે PM મોદી UPમાં કરશે પ્રચાર
આ પણ વાંચો: શાહજહાંપુરમાં પૂર ઝડપે આવતા ડમ્પરે શ્રદ્ધાળુઓની બસને ટક્કર મારતાં 11નાં મોત, 25 ઘાયલ