lata mangeshkar/ લતા મંગેશકરને સ્લો પોઈઝન આપીને ઘડવામાં આવ્યું હતું મોતનું કાવતરું

પદ્મા સચદેવ, જે ગાયિકાની ખૂબ જ નજીક છે, તેણે તેમના પુસ્તક ‘ઐસા કહાં સે લાઉ ‘માં આ ષડયંત્રનો ઉલ્લેખ કર્યો છે. તે સમયે લતા મંગેશકર 32 વર્ષના હતા.

Top Stories Entertainment
Untitled 16 12 લતા મંગેશકરને સ્લો પોઈઝન આપીને ઘડવામાં આવ્યું હતું મોતનું કાવતરું

સ્લો પોઈઝન  : ભલે લતા મંગેશકર હવે આપણી વચ્ચે નથી. પરંતુ ગીતો દ્વારા તે હંમેશા આપણી વચ્ચે જીવંત રહેશે. આપણે જ્યારે ઈચ્છીએ ત્યારે તેના બેજોડ ગીતોમાં તેના ધબકારા સાંભળી શકીએ છીએ. લતાની ઓળખ તેમનો અવાજ હતો જે હંમેશ માટે આપણી સાથે રહેશે. લતા મંગેશકરે પોતાના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા. 13 વર્ષની ઉંમરે, જ્યારે તેમના પિતાનું અવસાન થયું, ત્યારે સમગ્ર પરિવારની જવાબદારી તેમના ખભા પર આવી ગઈ. જેમણે નામ તો કર્યું પરંતુ તમામ પડકારો વચ્ચે નામ ને અમર કરી દીધું.

સ્વર કોકિલ કંઠી

પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તેમના જીવનમાં એક એવો સમય પણ આવ્યો હતો જ્યારે તેમની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પદ્મા સચદેવ, જે ગાયિકાની ખૂબ જ નજીક છે, તેમણે તેમના પુસ્તક ‘ઐસા કહાં સે લાઉ ‘માં આ ષડયંત્રનો ઉલ્લેખ કર્યો છે. તે સમયે લતા મંગેશકર 32 વર્ષના હતા. એક દિવસ જ્યારે તે સવારે જાગી ત્યારે તેના પેટમાં જબરદસ્ત દુખાવો થતો હતો. તેમની હાલત એવી થઈ ગઈ કે તેમને પોતાની જગ્યાએથી ખસવામાં પણ તકલીફ થવા લાગી.

a 30 2 લતા મંગેશકરને સ્લો પોઈઝન આપીને ઘડવામાં આવ્યું હતું મોતનું કાવતરું

એક સવારે તે બીમાર પડ્યા 

પુસ્તકમાં લખ્યું છે કે આ પછી તેને લીલા રંગની ઉલટીઓ થવા લાગી. આ સાથે તેનું શરીર ધ્રૂજવા લાગ્યું. જે બાદ ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે તેને સ્લો પોઈઝન આપવામાં આવ્યું હતું. જો કે તેમની હત્યાનો પ્રયાસ કોણે કર્યો તે આજદિન સુધી બહાર આવ્યું નથી.

લતાજી

ઉષા મંગેશકરે રસોડાની કમાન સંભાળી લીધી

પુસ્તકમાં ઉલ્લેખ છે કે જે દિવસે આ બધું થયું તે દિવસે તેનનો રસોઈયો અચાનક ગાયબ થઈ ગયો. તેણે પોતાનો પગાર પણ લીધો ન હતો. જે પછી તેમની નાની બહેન ઉષા મંગેશકરે આશા તાઈનું ભોજન બનાવવાની જવાબદારી પોતાના હાથમાં લીધી.

Untitled 13 7 લતા મંગેશકરને સ્લો પોઈઝન આપીને ઘડવામાં આવ્યું હતું મોતનું કાવતરું

30 હજારથી વધુ ગીત લતાએ ગાયા 

જણાવી દઈએ કે લતા મંગેશકરે 20 થી વધુ ભાષાઓમાં 30 હજારથી વધુ ગીતો ગાયા છે. તેમને ઘણા પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.ભારત સરકારે વર્ષ 2001માં તેમને ‘ભારત રત્ન’ (સૌથી વધુ નાગરિક સન્માન)ના સન્માનથી સન્માનિત કર્યા છે.

Lata Mangeshkar death / Lataને ઉલટાવીએ તો બની જાય છે Atal , બંને ભારત રત્ન, કરિયરથી લઈને લગ્ન સુધી બંને હસ્તીઓમાં હતી આ સામ્યતા

Ramayan / જો ઘરમાં આવી હનુમાનની તસવીર હોય તો ઘણી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે..!

આસ્થા / દરેક હવાઈ યાત્રા પહેલા પવનપુત્ર હનુમાનનું ધ્યાન રાખો, યાત્રા સફળ થશે

રામાયણ / ભગવાન રામે જળ સમાધિ લીધા પછી હનુમાનજીનું શું થયું?