Bhavnagar News: ભાવનગરમાં દીપડાનો આતંક વધતો જોવા મળ્યો છે. પાલિતાણાના રાજવાડી વિસ્તારમાં દીપડાએ ગત રાત્રિએ 12 ઘેટાને ફાડી ખાધા હતા. રહેણાંક વિસ્તારમાં દીપડાના આતંકથી સ્થાનિકો ભયભીત થયા છે.
સૌરાષ્ટ્રના વિવિધ જીલ્લાઓમાં વન્યપ્રાણીના આંટાફેરા વધી ગયા છે. તેમના સીમાક્ષેત્રમાંથી બહાર નીકળી શિકાર શોધવા નજીકના ગામોમાં, રહેણાંક વિસ્તારોમાં આતંક મચાવતા જોવા મળ્યા છે. ઉપરાંત, આ પ્રકારના ઘણા વીડિયો વાયરલ થયા છે. ભાવનગર, રાજકોટ, જામનગર, અમરેલી વગેરે જીલ્લાઓમાં દીપડાઓનો આતંક જોવા મળ્યો છે. ત્યારે ભાવનગર જીલ્લામાં પાલિતાણાનામાં ગત મોડી રાત્રે દીપડાએ રહેણાંક વિસ્તારમાં આતંક મચાવ્યો હતો.
રાજવાડી વિસ્તારમાં 12 ઘેટાને ફાડી ખાધા હતા. દીપડાના આતંકથી માલધારીઓ ભયભીત થયા છે. રોજગારી પર નિર્ભર માલધારીઓને પ્રાણીના આતંકથી ઘણું નુકસાન થયું છે.
આ પણ વાંચો:અમદાવાદ/ બીજા જિલ્લામાં પતિ છે કલેકટર, પરંતુ AMC માં રોફ જોશો તો તમે પણ કહેશો….
આ પણ વાંચો:C R Patil/ કેતન ઇનામદારના રાજીનામા મુદ્દે પાટીલનો ધ્રુજારોઃ પક્ષ નીતિનિયમ મુજબ ચાલશે
આ પણ વાંચો:પુતિનનો 87.8 ટકા મત સાથે પ્રચંડ વિજય, સળંગ પાંચમી ટર્મ શાસન કરી સ્ટાલિનનો રેકોર્ડ કોડશે