અમદાવાદ,
યુવક-યુવતી હોય કે પછી કિશોરાવસ્થાના વિદ્ર્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ. તેઓ ખીલની સમસ્યાનો સામનો કરતા જ હોય છે વળી ખીલ એવી જક્કી સમસ્યા છે કે તે ઉંમરના કોઈ પણ તબક્કે થઈ શકે છે ઘણી પ્રેગ્નેન્ટ સ્ત્રીઓ પણ હોર્મોન્સમાં બદલાવને પગલે ખીલની સમસ્યાનો સામનો કરતી હોય છે અને આ જછો છોક્કી ખીલથી પીછો છોડાવવા લોકો કોઈ પણ ઉપાય અપનાવતા હોય છે.
તમે પણ વિવિધ ઉપાય અજમાવીને થાકી ગયા હો અને તેમ છતાં તમારા ખીલ કે ખીલને કારણે પડેલા ડાઘ દૂર ન થતા હોય તો તમે કેળાની મદદ લઈ શકો છો. કેળાના વિવિધ ઉપાય અજમાવીને તમે ખીલ અને તેના ડાઘની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો
આ રીતે કરો કેળાની છાલનો કરો ઉપયોગ…
કેળા ખાઈ લીધા પછી તેની છાલને આપણે કચરાપેટીમાં જ નાંખતા હોઈએ છીએ. પરંતુ આ છાલથી તમે હઠીલામાં ખીલને દૂર કરી શકો છો.
કેળાની છાલની પસંદગી કરતી વખતે ધ્યાન રાખવું કે પીળી હોવી જોઈએ ન કે લીલી કે કાળી.
આ છાલથી તમે ચહેરા પર 10 મિનિટ સુઘી મસાજ કરો. આ કર્યા પછી તમે તરત જ ચહેરો ધોઈ ન નાંખશો. તેને ઓછામાં ઓછી 20થી 30 મિનિટ રહેવા દો અને પછી જ ચહેરો ધોવો.
આ પ્રયોગ નિયમિતપણે ત્યાં સુધી કરવ જ્યાં સુધી ખીલ દૂર ન થઈ જાય. થોડા જ દિવસમાં તમને તમારી ત્વચામાં ફરક દેખાશે અને ખીલ ગાયબ થશે. આ પ્રયોગ કરતી વખતે તમારે ધ્યાનમાં રાખવું કે જ્યાં સુધી તમે કેળાનો પ્રયોગ કરો છો ત્યાં સુધી તમારે વધારે મોઈશ્ચરાઈઝર લગાવવું નહીં.કારણ કે ઘણી વખતે મોઇશ્ચરાઇઝરને કારણે ત્વચા વધારે તૈલી થઈ જાય છે અને તૈલી ત્વચા ખીલ થવા માટેનું મોટું પરિબળ છે.