ઉત્તરપ્રદેશમાં રાષ્ટ્રીય લોકદળના નેતા જયંત ચૌધરીએ પાર્ટીના બે કાર્યક્રમ રદ્દ કરતા NDAમાં સામેલ થવાની અટકળો તેજ થઈ છે. રાષ્ટ્રીય લોકદળના નેતા જયત ચૌધરી આગામી લોકસભા ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને INDIA મહાગંઠબંધનનો સાથ છોડી શકે છે . એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જયંત ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સમાં સામેલ થઈ શકે છે. જોકે, હજુ સુધી રાષ્ટ્રીય લોકદળ અને એનડીએ બંને તરફથી કોઈ સત્તાવાર ટિપ્પણી કે પ્રતિક્રિયા આવી નથી. દરમિયાન, જયંત ચૌધરીએ પાર્ટીના બે કાર્યક્રમ રદ્દ કરી દીધા છે, જે બાદ તેમના એનડીએ સાથે જોડાવાની અટકળોએ જોર પકડ્યું છે. આમાંનો પહેલો કાર્યક્રમ 12 ફેબ્રુઆરીએ છપરાૌલીમાં આયોજિત થવાનો હતો, જ્યાં તેમના પિતા અજીત ચૌધરીની જન્મજયંતિ પર તેમની 12 ક્વિન્ટલ વજનની લાઈફ સાઈઝની પ્રતિમાનું ઉદ્ઘાટન થવાનું હતું. જે હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે, આ સિવાય મથુરામાં અન્ય યુવા સંમેલનનો કાર્યક્રમ યોજાવાનો હતો, જે પણ મોકૂફ રાખવામાં આવ્યો છે. નવા સમીકરણોને જોતા આ પણ રદ્દ કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.
અહેવાલો અનુસાર રાષ્ટ્રીય લોકદળ નેતા જયંત ચૌધરી અખિલેશ યાદવના પ્રસ્તાવથી નારાજ છે. સપા દ્વારા રાષ્ટ્રીય લોકદળને આપવામાં આવેલી સાત સીટોમાંથી સપાના ઉમેદવારોને ચાર સીટો પર આરએલડીના સિમ્બોલ પર ચૂંટણી લડવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. જે બાદ જાટ કાર્યકરો તરફથી તેમના પર ગઠબંધન તોડવાનું દબાણ છે. જ્યારે એનડીએમાં તેમને ત્રણથી ચાર સીટોની ઓફર કરવામાં આવી છે. તેમાંથી મથુરા અને બાગપતની સીટો આરએલડીને આપવામાં આવી શકે છે. જ્યારે રાજ્યસભાની સીટ પણ આપી શકાય છે.
જણાવી દઈએ કે આરએલડીએ પણ સપા સાથે ગઠબંધન કરીને 2019ની લોકસભા ચૂંટણી લડી હતી, જેમાં તેમને ત્રણ સીટ આપવામાં આવી હતી, પરંતુ તેઓ એક પણ સીટ જીતી શક્યા ન હતા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ આરએલડીએ 33 બેઠકો પર ચૂંટણી લડી હતી, જેમાંથી પાર્ટીએ નવ બેઠકો જીતી હતી. બિહારમાં નીતીશ કુમાર ભારત ગઠબંધન છોડીને NDAમાં જોડાયા છે અને 9મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ હવે યુપીનું પણ ચિત્ર બદલાયુ છે. રાષ્ટ્રીય લોકદળના નેતા જયંત ચૌધરી સપા પ્રમુખ અખિલેશ યાદવ સાથે ગાઢ સંબંધ હોવા છતાં NDAમાં જોડાઈ શકે છે. રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે કે RLD નેતા જયંત ચૌધરીનું માનવું છે કે સપા સાથે લાંબા સમય સુધી સાથ હોવા છતાં પાર્ટીને ખાસ કોઈ ફાયદો જોવા મળ્યો નથી. આ સિવાય રાષ્ટ્રીય લોકદળને રાજ્ય સ્તરની માન્યતા પ્રાપ્ત પાર્ટીનો દરજ્જો ગુમાવવાનો ભય છે સાથે વોટબેંક વિઘટટનું સંકટ પણ જોઈ રહી છે. આવી સ્થિતિમાં ભવિષ્યની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય લોકદળએ INDIA ગઠબંધન અને સમાજવાદી પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાની તૈયારી કરી લીધી છે.
આ પણ વાંચો:ગજબ/50 વર્ષના આ વ્યક્તિએ ઘડ્યું જબરદસ્ત કાવતરું, પત્નીને છોડી નાબાલિગ સાથે કરવા હતા લગ્ન, કર્યું એવું કે…..
આ પણ વાંચો:Hemant Soren/હેમંત સોરેને ધરપકડને પ્રાણ પ્રતિષ્ઠા સાથે જોડીને વિધાનસભામાં કર્યો કટાક્ષ, કહ્યું કે…
આ પણ વાંચો:Karnataka/કર્ણાટક : ખાણ અને ભૂસ્તર વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર પ્રતિમાની હત્યા કરનાર હત્યારો ઝડપાયો, પોલીસે ચાર્જશીટ દાખલ કરી