જૂનાગઢ,
લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે બીજેપી અને કોંગ્રેસના નેતાઓ મતદારોને રિજવા માટે તાબડતોડ રેલીઓ, સભાઓ અને રોડ શો નું આયોજન કરી રહ્યા છે. ત્યારે તાજેતમાં NCPમાં જોડાયેલા અને પૂર્વ પાસના કન્વીનર રેશ્મા પટેલ વિષે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢના વંથલીમાં રેશ્મા પટેલ પર હુમલો થયો તેવી માહિતી હાલ મળી રહી છે.
આપને જણાવી દઈએ કે રેશ્મા પટેલ NCP માં જોડાયા પછી મતદારોને મતની અપીલ કરવા માટે જૂનાગઢના ગામોમાં ફરી રહી છે. આ દરમિયાન રેશ્મા પટેલ જનસંપર્ક માટે હાલ જૂનાગઢના વંથલીમાં પહોંચી હતી.જ્યાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા રેશ્મા પટેલ પર હુમલો કરવામાં આવ્યો હતો. જનવાઈએ કે હુમલો કર્યા બાદ આ અજણીયો માણસ ફરાર થઇ ગયો હતો.જેના પછી રેશ્મા પટેલે હુમલા અંગે વંથલી પોલીસ સ્ટેશનમાં પહોંચીને ઘટનાની માહિતી આપી હતી.