નિવેદન/ એક મેચ હારવાથી મુલ્યાંકન ન થાય,ભારતની ટીમ મજબૂત છે : પૂર્વ કેપ્ટન કપિલ દેવ

પૂર્વ કેપ્ટન કપિલ દેવ સુરતની મુલાકાતે આવ્યા છે અહીં તેમણે કહ્યું કે ક્રિકેટ એ જેન્ટલમેનની રમત છે. તેમાં નિંદા, અપશબ્દો કે હિંસાને કોઈ સ્થાન જ નથી.

Top Stories Sports
kapil dev એક મેચ હારવાથી મુલ્યાંકન ન થાય,ભારતની ટીમ મજબૂત છે : પૂર્વ કેપ્ટન કપિલ દેવ

ભારતને પહેલી વખત ક્રિકેટમાં વર્લ્ડ કપ જીતાવનાર અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવ સુરતની મુલાકાતે આવ્યા છે અહીં તેમણે કહ્યું કે ક્રિકેટ એ જેન્ટલમેનની રમત છે. તેમાં નિંદા, અપશબ્દો કે હિંસાને કોઈ સ્થાન જ નથી. ટી20 વર્લ્ડ કપની મેચમાં પાકિસ્તાન સામે ભારતીય ટીમને મળેલી હાર અંગે કપિલ દેવે જણાવ્યું હતું કે, એક મેચના પરફોર્મન્સ પર કોઈ પણ ટીમની ટીકા કે નિંદા ન થવી જોઈએ. કોઈ બીજી ટીમ આપણાથી સારું રમીને જીતે તો તેની પ્રશંસા થવી જોઈએ. જે ટીમ 30 વર્ષ સારું રમીને જીતી છે. તેની નોંધ પણ લેવી જોઈએ.વર્ષોથી ભારતની ટીમ મેચ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે જીતતી આવી છે એક મેચ હારવાથી ભારતની ટીમ નબળી પડી હોય તેમ હું માનતો નથી.

કપિલ દેવે વધુમાં કહ્યું કે, વર્તમાન ટીમ ટી-20 ફોર્મેટ માટે સંપૂર્ણટીમ છે અને તે સારો દેખાવ કરશે તેવી દરેકને આશા છે. એક મેચ હારવાથી જે દર્દ લોકોને થયું છે. તમે કલ્પના પણ ન કરી શકો કે, જે લોકો મેચ રમ્યા તેમને સામાન્ય લોકોથી ખૂબ વધુ દુઃખ થયું હશે. જો આ ટીમ જીતી ગઈ હોત તો લોકોના મોઢા બંધ હોત. આપણે જીત પર વાતો કરીએ છીએ પ્રોસેસ પર નહીં બધું બરાબર હોય તો સામી ટીમ ક્રિકેટમાં જીતી શકે. આ અનિશ્ચિતાઓની રમત છે.