Not Set/ વાવાઝોડામાં તકેદારીનાં પગલે નુકશાન ઘટાડી શકાય છે. જાણો શુ છે જરૂરી પગલાં

ગુજરાતના વેરાવળથી દક્ષિણ-પૂર્વ દિશામાં વાવાઝોડું આકાર લઇ રહ્યું છે, અને 13 તારીકે જ્યારે પ્રચંડ તિવ્રતા સાથે વાવાઝોડું ગુજરાતનાં દરિયા કિનારે ટકરાવવાનું છે ત્યારે વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઇને, લોકોના જાનમાલની સલામતી અને સુરક્ષા માટે રાહત નિયામકશ્રી દ્વારા વાવાઝોડા પહેલાં, વાવાઝોડા દરમિયાન, અને વાવાઝોડા બાદ કેવા પ્રકારના તકેદારીના પગલાં લેવા તે સંદર્ભે રાહત નિયામકશ્રી દ્રારા નાગરિકોને […]

Top Stories Ahmedabad Rajkot Gujarat Surat Vadodara Others
Cyclone વાવાઝોડામાં તકેદારીનાં પગલે નુકશાન ઘટાડી શકાય છે. જાણો શુ છે જરૂરી પગલાં

ગુજરાતના વેરાવળથી દક્ષિણ-પૂર્વ દિશામાં વાવાઝોડું આકાર લઇ રહ્યું છે, અને 13 તારીકે જ્યારે પ્રચંડ તિવ્રતા સાથે વાવાઝોડું ગુજરાતનાં દરિયા કિનારે ટકરાવવાનું છે ત્યારે વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઇને, લોકોના જાનમાલની સલામતી અને સુરક્ષા માટે રાહત નિયામકશ્રી દ્વારા વાવાઝોડા પહેલાં, વાવાઝોડા દરમિયાન, અને વાવાઝોડા બાદ કેવા પ્રકારના તકેદારીના પગલાં લેવા તે સંદર્ભે રાહત નિયામકશ્રી દ્રારા નાગરિકોને અનુરોધ કરાયો છે. વાવાઝોડા પહેલાં વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદ તકેદારીના કેવા પગલા લેવા તેની જાણકારી મેળવવાથી વધુ નુકસાન થતું અટકાવી શકાય છે.

cyclone1 વાવાઝોડામાં તકેદારીનાં પગલે નુકશાન ઘટાડી શકાય છે. જાણો શુ છે જરૂરી પગલાં

નાગરિકો આટલી તકેદારી રાખે…. 

 વાવાઝોડા પહેલાની તૈયારી
o રહેઠાણની મજબૂતીની ખાતરી કરી લો અને બાંધકામને લગતી ક્ષતિઓ દૂર કરો.
o સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહો.
o આપના રેડીયો સેટ કે સમાચાર માધ્યમનાં વિજાણુક સાધનને ચાલું હાલતમાં રાખો, ચકાસી લો.
o સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં રહેવા પ્રયત્ન કરો.
o ઢોર-ઢાંખરને ખૂંટાથી છુટા કરી રાખો.
o માછીમારોએ દરિયામાં જવું નહીં, બોટ સલામત સ્થળે લાંગરવી.
o અગરિયાઓએ સલામત સ્થળે ખસી જવું.
o આશ્રય લઈ શકાય તેવા ઉંચા સ્થળો ધ્યાન રાખો.
o સુકો નાસ્તો, પાણી, ધાબળા, કપડાં અને પ્રાથમિક સારવારની કીટ સાથે રાખો.
o અગત્ય ટેલીફોન નંબર હાથ વગા રાખો.

વાવાઝોડા દરમિયાન તકેદારીના પગલા:
o જર્જરીત મકાન કે વૃક્ષ નીચે આશ્રય ન લેવા માટે સમજ આપવી.
o રેડિયો પર સમાચાર સાંભળતા રહો અને સૂચનાઓનો અમલ કરો.
o વાવાઝોડા સમયે બહાર નીકળવાનું સાહસ કરવું નહીં.
o વાવાઝોડાના સમયે રેલ મુસાફરી કે દરિયાઇ મુસાફરી હિતાવહ નથી.
o વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા સલાહ આપી આપવી.
o દરિયા નજીક, ઝાડ નીચે કે વીજળીના થાંભલા કે લાઈનો નજીક ઊભા રહેશો નહીં.
o વીજળીના થાંભલાથી દૂર રહેવા સલાહ આપવી.
o માછીમારોને દરિયામાં જતા રોકવા અને હોડીઓ સલામત સ્થળે રાખવી.
o અગરિયાઓ અગરો છોડી સલામત સ્થળે આશરો લેવો.
o ખોટી અથવા અધૂરી જાણકારી વાળી માહિતી અર્થાત અફવા ફેલાવતી અટકાવો, આધારભૂત સૂચનાઓને અનુસરો.

cyclone2 વાવાઝોડામાં તકેદારીનાં પગલે નુકશાન ઘટાડી શકાય છે. જાણો શુ છે જરૂરી પગલાં

વાવાઝોડા બાદ કરવાની કાર્યવાહી:
o બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડ, પોલીસ મ્યુનિસિપાલિટી કંટ્રોલરૂમ તથા તમામ અધિકારીઓની મદદ લેવી.
o અસરગ્રસ્તોની મદદ કરવી બચાવ કરવો, સલામત સ્થળે લઈ જવા.
o જરૂર પડે તબીબી સારવાર તાત્કાલીક મળી રહે તેવી વ્યવસ્થા કરવી.
o ભારત સરકારશ્રીના હવામાન ખાતા તરફથી મળતી આગાહીઓ અને અનુસરવું તથા સતત સંપર્કમાં રહેવું.
o અસરગ્રસ્તોને જરૂરી મદદ ઉપલબ્ધ કરાવવી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.