મહારાષ્ટ્રના રાજકારણમાં એક મોટો સમાચાર ત્યારે આવ્યો જ્યારે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા અને તેમની સાથે એનસીપીના નેતા અજિત પવાર પણ હતા, જેમણે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. હવે બીજો મોટો દિવસ બધાની સામે છે, શપથ ગ્રહણના ત્રણ દિવસમાં જ અજિત પવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. હવે જ્યાં દેવેન્દ્ર ફડણવીસે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. ફડણવીસ બપોરે 3.30 વાગ્યે મીડિયાને સંબોધન કરશે.
– દેવેન્દ્ર ફડણવીસે કહ્યું – અમારી પાસે બહુમતી નથી. હું રાજ્યપાલને રાજીનામું આપવા જઇ રહ્યો છું. હવે અમે વિરોધપક્ષ માં બેસીશું. અને કામ કરીશું. નવી સરકારની રચના કરનારાઓને અભિનંદન. અમે નવી સરકારને કેવી રીતે કાર્ય કરવું તે શીખવીશું.
– દેવેન્દ્ર ફડણવીસે કહ્યું – જનતાએ મહાગઠબંધનને બહુમતી આપી હતી. અમારી પાસે 105 બેઠકોનો મેન્ડેટ હતો. દરેક રેલીમાં અમિત શાહ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે રાજ્યના મુખ્ય પ્રધાન કોણ હશે. અમે ક્યારેય 50-50 મુખ્યમંત્રીનું વચન આપ્યું નથી. અમે શિવસેનાની ઘણી રાહ જોઈ હતી. પણ શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે વાત કરવાનું શરૂ કર્યું. પરંતુ અમારી સાથે વાત ના કરી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.