મહુવા તાલુકામાં એક દર્દનાક ઘટના બની છે, જ્યાં ઇલેકટ્રીક શોક લાગવાના કારણે બે લોકોના મોત થવાની ઘટના બની છે,જેને લઈને સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
મળતી વિગતો અનુસાર, મહુવા તાલુકાના વડલી ગામે મજુરી કામ કરવા ગયા ત્યાં નવા મકાનનુ બાંધકામ ચાલુ હતું, આ સમયે પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો, પરંતુ જયારે પાણીની મોટરની સ્વીચ બંધ કરતા શોક લાગતા બાબુ ભીખા ભાઈ વાસીયાનું મોત થયું હતું.
આ ઉપરાંત વડલી ગામે બનેલી બીજી ઘટનામાં માળીયા ગામે રહેતા દિનેશ લખમણ ભાઈ જોળીયાએ માળીયા જે વાડી અને ધર એકસાથે હતા, જેથી ધરમા જ ઇલેકટ્રીક શોક લાગતા તેમનું પણ ધટનાસ્થળે મોત નીપજ્યું હતું.
બે વ્યક્તિઓના મોત થતા તેઓના મૃતદેહને મહુવા સરકારી હોસ્પિટલમાં પી એમ માટે ખસેડવામાં આવ્યા હતા અને આ મામલે પોલીસ આકસમાત ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.